SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ પિષીદશમી દેશના ૧૬૯ પાર્શ્વનાથનો ધર્મિષ્ટ પરિવાર, તાપસ સાથે ખુલાસો કરે છે. બળો નાગ નીકળે છે. સેવકને નવકારને હુકમ કરે છે. વિચારે, સેવકે નવકારમાં લીન કેવા હોવા જોઈએ? પાર્શ્વનાથજીને સમગ્ર પરિવાર-નોકર નવકાર ન જાણતા હોત તે જ નવકાર નોકર સંભળાવત કયાંથી? એ દશા ન હોત તો સંભળાવતા નહિ. બીજી બાજુ ઝેરી જાનવર ભલે, તે બળવાથી સહેજે નરમ થયું છે, પણ છે તે ઝેરી. તેને નવકાર સંભળાવવાની તાકાત–નેકરની તાકાત કેટલી હશે ? મરી ગયા પછી નવકાર સંભળાવા નથી. જીવતું ઝેરી જાનવર હોય તેને નવકાર સંભળાવે–જાનવરને આરાધના કરાવવા માટે કેટલી લાગણી હોવી જોઈએ ? આપણે મનુષ્યને આરાધના કરાવવામાં મોં મચકાવીએ છીએ. લાખે એક ન પમાય પણ આરાધના કરાવાય, આ ઝેરી જાનવરને આરાધના કરાવે છે. ઝેરી જાનવરને આરાધના કરાવવાનો વિચાર શી રીતે ? સાપ કહેવા આવ્યું ન હતું કે “મને નવકાર સંભળાવવા આવો.” આરાધનાને લાયકની જાત નથી, છતાં પામી ગયે. જે ઝેરીલી જાતમાં લાખમાં પણ એક ન પામે તેવી દશામાં એમ આરાધના કરાવવી તે કઈ દશાએ? આપણે બે વખત, ચાર વખત કઈ કામમાં નિષ્ફળ થઈ એ તે “શિર જાય તો કબૂલ પણ એ નહિ.” અહીં પાર્શ્વનાથજીએ એવી દશામાં લાકડું ચીરી કઢાવ્યું. જીવ બચાવ તે કર્તવ્ય. જીવ બચાવવામાં પાપ માનનારા એમના હિસાબે પાર્શ્વનાથજીએ મોટું પાપ કર્યું. ઝેરીલાને બચાવવો એટલે જીવીને શું કરવાને છે તે બધા સમજે છે ! પંચેન્દ્રિય હત્યા સિવાય બીજો ધંધે તેને છે? સમગ્ર પરિણામે સર્વ દિવસેએ પંચેન્દ્રિય હત્યા કરનારે, ૧૮ પાપસ્થાનક સેવનારો ! એવાને પાર્શ્વનાથજીએ બચાવ્યું. ભૂલ કરી. એમના કુળમાં રિવાજ પડ્યો ક્યાંથી કે ભૂલ થઈ ! બીજાના કુળમાં સાપ દેખે તે હંગેરે લઈ નીકળે. તેમને સાપ હોય તે પણ બચાવ તે કુળમાં સંસ્કાર પડ્યો ક્યાંથી ? ભૂલ સમજ્યા વગર ભૂલ કહેવાય કેમ? સમકિતી છે. ઉપકાર જાણે છે. પ્રમાદથી થયે નથી. ધારીને કર્યું છે. તે સમક્તિીની ભૂલ કહેનાર મિથ્યાવી. મૂળ વિચારો. આવા
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy