SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પર્વ મહિમા દર્શન જ્ઞાન ઉપર અથવા જ્ઞાની ઉપર અથવા તેનાં સાધનો ઉપર જે તમે જરા પણ રેષ દર્શાવશે, ત્રણમાંથી ગમે તે એક પરત્વે પણ જે. તમારા હૃદયમાંથી દ્વેષ બહાર પડશે, તે તેથી તમારા જ્ઞાનાવરણીય કર્મોમાં ઘટાડો થવાનું નથી, પરંતુ વધારો જ થવા પામશે. તમારે જે તમારા જ્ઞાનાવરણીય કર્મોને ખપાવવાં જ હોય, તેને નાશ કરે. જ હોય, તેને અંત લાવે જ હોય, તે તેને ઘેરી માર્ગ એક જ છે કે ઉપર કહેલાં ત્રણે તની આરાધના કરો ! જેમ અડપલું કરવાથી સામાને જે ગુને થએલે છે, તે ગુને ત્યારે જ મિથ્યા થાય છે કે જ્યારે આપણે તેની માફી માંગીએ છીએ, તે જ પ્રમાણે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધને, એને દ્વેષ કરીને જે જ્ઞાનાવરણીય. કર્મ બાંધ્યું છે, તે ત્યારે જ છૂટે છે કે એ ત્રણેને જ્યારે આદર કરવામાં આવે છે. વરદત્ત અને ગુણમંજરીને સંબધ. અહી વરદત્ત (૧૪ત્તાવિશ્વયા નિત, અવિ. અo ? સ્ત્ર ૮) અને ગુણમંજરીની કથાની યાદ તાજી કરવાની જરૂર છે (૩dફેશ પ્રાસાદ ચાo ર4). વરદત્ત અને ગુણમંજરી પૈકી ગુણમંજરી પૂર્વભવમાં એક વ્યવહારી જિનદેવની સ્ત્રી હતી. ગુણમંજરીના પુત્રોને પંડિતે જ્ઞાન ન આવડવાને માટે શિક્ષા કરી હતી. ગુણમંજરી પિતાના પુત્રોને ઉપાધ્યાયથી થએલી શિક્ષાથી ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણીએ પિતાના પુત્રના પંડિતને ગાળો દીધી હતી. છેવટે પિતાના પુત્રને એવી શિખામણ આપી હતી કે, પંડિત તમને શિક્ષા કરે તે પિથી પાટી તમે તેમને સામી મારજો, અને પાટી આદિ બાળી નાંખીને ઘેર ચાલ્યા આવજે , આ રીતે જ્ઞાની અને જ્ઞાનના સાધનની વિરાધના થાય છે. પંડિતને ગુણમંજરીએ જે બિભત્સ. શબ્દ કહ્યા હતા, તે જ્ઞાનીની વિરાધના છે. અને પાટીથી ઈત્યાદિ બાળી નાંખવાનું જે કથન કર્યું હતું, તેના દ્વારા જ્ઞાનનાં સાધનની. વિરાધના કરી. પુરુમંજરીના આ કાર્યને તિરસ્કારીને પતિએ તેણીને કહ્યું હતું કે
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy