SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પંચમી વ્યાખ્યાન જો કે કેટલાક અમુક આચાર્યો, અમુક દિવસે, અમુક ગ્રંથને ઉદ્ધાર કર્યો તેથી તે દિવસ થતપંચમી તરીકે માને એમ કહે છે, પણ તેઓ જૈનસંઘના વારતવિક પર્વોનું અનુકરણ કરતાં જ્ઞાનપંચમીનું અનુકરણ કરવા ગયા, પણ તેમાં મયૂરનૃત્ય જેવું જ અનુકરણ થયું, કેમકે એટલું તે ચેકસ થાય કે તેઓની જ્ઞાનની આરાધનામય પર્વ તરીકે જ્ઞાનપંચમી આરાધવાની નથી. ગણધર મહારાજા સરખાની કરેલી દ્વાદશાંગીને અંગે કઈ તિથિ આરાધવી નથી, એટલે એમ નકકી થાય કે તેઓ મૂળ શાસનથી જુદા પડયા અને તેમના મતની જડ તરીકે જે ગ્રંથ જે આચાયે જે દિવસે પૂર્ણ કર્યો તે ગ્રંથની પૂર્ણાહુતિના દિવસ અંગે પર્વ તરીકે આરાધવાની ફરજ પડી, અર્થાત્ એવી કૃત્રિમ પર્વ આરાધના જ તેઓનું કૃત્રિમ પાણું જણાવવા માટે બસ છે. વળી કાર્તિક શુકલ પંચમીને દિવસ વર્તમાન લખેલા શાસ્ત્રના જમાનાને વધારે વધારે અનુકૂળ થઈ શકે છે, કેમકે દીવાળી પછીને વખત વરસાદ વગરને અને શુદ્ધ તાપયુક્ત હોઈ પુસ્તક પરિવર્તન માટે ઘણે જ ઉપયોગી છે. - જ્ઞાનવતાની આરાધનાનું સ્થાન, આ જ્ઞાનપંચમીનું આરાધન કરનારે શ્રુતજ્ઞાનની મુખ્યતાપૂર્વક સર્વ જ્ઞાનની ભક્તિ–સેવા દ્વારાએ આરાધના કરવાની જેવી જરૂર છે, તેવી જ જરૂર જ્ઞાનવંતની આરાધના માટે છે, કેમકે જ્ઞાની, જ્ઞાન, કે જ્ઞાનનાં સાધન ત્રણેના પ્રદ્વેષ, નિદ્ભવ, માત્સર્ય, અંતઅંતરાય અને અને અતિઆશાતાને જે વય નહિ, તે આત્મા જ્ઞાનાવરણીય કર્મને બાંધે ને નિકાચિત પણ કરે, માટે આ પર્વની તપ, જપ, પૂજા ભક્તિથી આરાધના કરનારે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધન તરફ ઘણું જ લક્ષ આપવાની જરૂર છે. જેમ કે ઈ મનુષ્યનમે અરિહંતાણ પદને જાપ બારેમાસ, ત્રીસ દિવસ અને રોવીસે કલાક કરે અને મહાભાગ્યના ગે ખુદ અરિહંતપણાવાળા ત્રિલેકનાથ તીર્થકરને વેગ મળે, છતાં તે ત્રિલેકનાથ તીર્થકરની અવજ્ઞા કરે છે તે જાપના શુભ ફળ કરતાં અવજ્ઞાનું અશુભ ફળ ઘણું જ તીવ્ર મળે છે અને તેથી કટુક ફળ ભેગવવાં પડે છે.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy