SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મહિમા દર્શન સભ્યત્વ પહેલાં જ્ઞાનની જરૂર.- મોક્ષમાર્ગ માટે આમ ભેદ છે તે આચારમાં કેમ ભેદ નથી? આ પ્રવૃત્તિભેદ છે પણ ઉત્પત્તિકમ નથી. સમ્યગદર્શનાદિ એ ઉત્પત્તિકમ છે અને આ પ્રવૃત્તિમ છે. પ્રથમ જ્ઞાનીની જ પ્રવૃત્તિ હેવી જોઈએ. જ્ઞાનની પ્રવૃત્તિ નથી, તેને દર્શનની પ્રવૃત્તિ થઈ શકતી નથી, કરે તે આગમાનુસારી નથી. ગણવા જાય તે માર્ગમાં સ્થિતિ નથી, શાસને પ્રથમ જ્ઞાન મેળવ્યું કે પ્રથમ દર્શન મેળવ્યું ? શાસને તીર્થકર મહારાજ પાસેથી પ્રથમ દેશના, પછી શ્રદ્ધા મેળવી છે. એવી રીતે જગતમાં પ્રથમ ક્રુ મેળવાય ? પ્રથમ જ્ઞાન મેળવાય, પછી જ શ્રદ્ધાને વખત આવે. પ્રવૃત્તિક્રમની અપેક્ષાએ જ્ઞાનને પ્રથમ સ્થાન આપવું જ જોઈએ. જેમ ઉત્પત્તિ અને આચારને અંગે ભેદ કહ્યો, તેવી રીતે બીજી બાજુ મોક્ષમાર્ગ જે નૈશ્ચયિક કલ્યાણને હેતુ, બીજે વ્યવહાર માર્ગ. નૈશ્ચયિક હેતુમાં સમ્યગુદર્શને અગ્રપદ હેય, જ્યારે વ્યાવહારિક ભેદમાં જ્ઞાનને અગ્રપદ હેય. આથી જ્ઞાન આપવા લેવા પહેલાં દર્શનને આગ્રહ ન હોય, પણ દર્શન લેવા પહેલાં જ્ઞાનને આગ્રહ જરૂર હોય. મને દર્શન નથી થયું માટે મારે જ્ઞાન ન વાંચવું. આવું કરે તે દર્શન ઉત્પત્તિને વખત કયારે આવે ? શ્રદ્ધા થયા પછી સાંભળવું, તે શ્રદ્ધાને વખત કયારે આવે ? માટે વ્યવહાર પ્રવૃત્તિ માટે પ્રથમ જ્ઞાનની જરૂર છે. વાત સમજવી જોઈએ, પછી શ્રદ્ધા થાય. “વાત માને તે સમજાવીએ, એમ કઈ કઈને કહેતા નથી, “સમજાવીએ તો માનશે, એમ કહીએ છીએ. અજાણપણામાં પણ સમ્યફ નવતત્વકારે કેમ જણાવ્યું છે ? શ્રી મહાવીર ભગવંતે પ્રથમ ગૌતમસ્વામીજીને સમજાવ્યું કે મનાવ્યું ? પ્રથમ સમજાવ્યું પછી માન્યું. નૈસર્ગિક સમ્યગદર્શન થયા પછી અજ્ઞાન ન હોય. જિનેશ્વરે જે તત્વ કહ્યું તે માટે માન્ય છે. શું કહ્યું છે તે મારે સાંભળવું છે. તેવા કેટલાક હોય છે. શાસ્ત્રકાર કહે તે “તહતિ.” મથાળમાજ રમત અજાણ પણે તત્વની શ્રદ્ધા ન આવે પણ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy