SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ દિવાળી મહામ્ય અને સ્વપ્નને ફળાદેશ ૨૫૧ એક સમયે એવું બને છે કે પૂર્ણ નામના રાજા દરબાર ભરીને બેઠા છે. દરબાર પૂર બહારમાં ખીલી રહ્યો છે. રાજકાજની વાત થાય છે અને અનેક પ્રકારના ઉહાપોહ થઈ રહ્યા છે, એવા સંગમાં ત્યાં લેકદેવ નામને તિષી આવે છે. રાજા તિષીને પૂછે છે કે, “ભાઈ ! ભવિષ્યમાં શું થશે તે કહી આપે.” જ્યોતિષની સત્યતા જ્યોતિષી જણાવે છે કે “એક માસ પછી વરસાદ આવવાને છે. એ વરસાદ બહુ પ્રચંડ છે. અને એનું જળ જે કઈ પી જશે તે લોકો ગાંડા ઉમાદવાળા બની જવાના છે.” જ્યોતિષવિદ્યાનું જ્ઞાન કેટલું ચોક્કસ છે તે જુઓ ! પ્રાચીન કાળમાં આપણા દેશમાં તિષશાસ્ત્ર સંપૂર્ણ રીતે ખીલ્યું હતું. ભવિષ્ય એટલા બધા ચેકકસપણે દર્શાવાતા હતા કે જેમાં એક સેકંડને પણ ફેર પડતું ન હતું. શ્રીપાળ મહારાજાના ચરિત્રમાં જે તે ત્યાં પણ જ્યોતિષ શાસ્ત્રની એવી જ મહત્તા તમારી દષ્ટિએ પડશે. શ્રીપાળમહારાજાને ઝાડ નીચે ફલાણે સ્થળે અમુક માણસ મળશે, એવું ભવિષ્ય જણાવવામાં આવ્યું છે. ૧૪ પૂર્વધર ભદ્રબાહુસ્વામીના સંબંધમાં એક સ્થળે ભવિષ્ય દર્શાવતા પર પળે નહિ, પરંતુ ૫૧૧/ર પળવાળે મત્સ્ય જણાવવામાં આવે છે. જ્યાં અડધી પળને પણ હિસાબ રાખવામાં આવ્યું છે. ત્યાં તિષ વિદ્યાને કે ચમત્કાર હશે, અને તે કેવી રીતે ખીલેલી હશે તેની સહજ કલ્પના થવા પામે છે. હવે આજે આપણી સ્થિતિ એ છે કે આપણી પાસે સાચું તિષ રહ્યું નથી. જે સંપૂર્ણ જ્યોતિષદ્વારા ભવિષ્ય જાણીને જ કાર્યો કરવા પ્રવૃત્તિ લઈએ તે પછી ધર્મનું કાર્ય રહેવા પામતું નથી. એટલા માટે જવું જોતિષ જાણીને તે આપણે વ્યવહારમાં લેવાનું રાખ્યું છે. પ્રાચીન કાળમાં એવું હતું કે અધિક માસ તરીકે પિષ અને અષાઢ બે જ મહીનાઓ વધતા હતા. પાંચ વડે ભાગવાથી જે ત્રણ વધતા હોય તે પિષ માસ વધેલે છે એમ માનવામાં આવતું હતું. પ્રાચીન સમયને ઈતિહાસ સાક્ષી પુરે છે કે તે કાળે રાજ્યને
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy