SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરેપૂરો વશ છે, એમ જાણી એક તાપસનું રૂપ કરી–તપસ્વી બની મને હર અને અત્યંત સ્વાદિષ્ટ મધુર ફળે હાથમાં લઈ તે ચક્રવતી રાજા પાસે આવ્યો અને તેને માયિક પ્રેમથી ભેટ ધર્યા રાજા તે ખાઈને અત્યંત પ્રસન્ન બની તાપસને પૂછ્યું “હે મહારાજ! આ ફળે બહુજ સુંદર અને સ્વાદિષ્ટ છે. આપ એને કયાંથી લાવ્યા? અને તે ક્યાં મળશે?” તાપસે કપટભાવે જવાબ આપ્યો કે, “હે રાજન ! સમુદ્રની વચમાં એક નાનું સરખો સુંદર ભેટ છે. ત્યાં મારું ઘર છે. આપની પ્રશંસા સાંભળી હું આપની પાસે આવ્યો છું આપ મારા જેવા ગરીબ ઉપર કૃપા કરી મારા ઘરને પવિત્ર કરે, તો હું આપને એવાં ઘણાં ઉત્તમ સ્વાદિષ્ટ ફળ ભેટ કરીશ કેમકે ત્યાં એવાં ફળના ઘણા બગીચા છે. ” જીલ્ડા ઈન્દ્રિયને વશ થયેલ ચક્રવતી તે દેવના પંજામાં ફસાયે. જેમનું પુણ્ય ખલાસ થઈ જાય છે, તેમને વિનાશ પણ તત્કાળ થાય છે. તેમનામાં વિવેક કે વિચારક શક્તિને અભાવ હોય છે. તે દેવની સાથે ન જવા મંત્રીઓએ પણ ચકવતીને ઘણું ઘણું સમજાવ્યો અને વિનતી કરી કે, “ મહારાજ આપ જીહા-ઈન્દ્રિયના લુપી થઈ આ છયે ખંડના રાજ્યને છોડી માછલીની પેઠે નાશ થવા-મરવાને કેમ ઈચ્છો છો? ” પરંતુ જેનું મૃત્યુ સમીપ આવેલું છે એવા મૂર્ણ ચક્રવતીએ મંત્રીઓનાં હિતકર વાક્યોને બિલકુલ સાંભળ્યાં નહીં, અને જહાજમાં બેસી તે દેવરૂપ તાપસની સાથે સમુદ્રમાં ચાલવા લાગ્યા. તેજ સમય ચકવતીના મહેલની જેની એક એક હજાર યક્ષ ચેકી કરે છે, સેવા કરે છે, એવાં સર્વે ને ચાલ્યાં ગયાં. વિવું છે કે નહીં અને વચ્ચે
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy