SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિને સ્વપર સ્વરુપમાં યથાર્થ દષ્ટિ હોય છે. તે શુભાશુભભાવે અને તેને લગતા બાહ્ય નિમિત્તોને જાણે છે. તે નિમિત્તો નાના પ્રકારના છે એકરૂપ નથી. તેથી તે અંતષ્ટિના પ્રમાણમાં મોક્ષમાર્ગ સાધે છે. સમ્યજ્ઞાન (સ્વસંવેદન) અને સ્વરૂપાચરણની પ્રાપ્તિવાળા જ્ઞાતાજ મોક્ષમાર્ગ સાધી શકે છે કારણકે મોક્ષમાર્ગ સાથે તે વ્યવહાર અને શુદ્ધદ્રવ્ય અક્રિયારૂપ (સદશ્યરૂપ) તે નિશ્ચય એવું વ્યવહાર નિશ્ચયનું સ્વરૂપ સમ્યદૃષ્ટિ જાણે છે. સમ્યગ્દષ્ટિ કદાચિત બંધ પદ્ધતિને વિચાર કરે ત્યારે તે જાણે છે કે આ બંધ પદ્ધતિથી મારું દ્રવ્ય અનાદિકાળથી બધરૂપ ચાલ્યું આવ્યું છે તેથી તે ક્ષણ માત્ર પણ બંધ પદ્ધતિમાં મગ્ન થાય નહીં, પણ પિતાનું સ્વરૂપ વિચારે, ધ્યાવે, ગાવે, શ્રવણ કરે તથા નવધાભકિત, સંયમ, તપ, ત્યાગાદિ શુભક્રિયા પિતાના શુદ્ધ સ્વરૂપ સમ્મુખ થઈને કરે એ જ્ઞાનીને આચાર છે. પોતાની અવસ્થા પ્રમાણે પરસત્તા અવલંબન રૂપ ક્રિયા કરતા હોય ખરો પણ તેને નતો પોતાનું સ્વરૂપ કહે, ન તેને મોક્ષમાર્ગ કહે, સ્વસત્તાવલંબન શીલ જ્ઞાનને છેડી પરસત્તાવલંબી જ્ઞાનને પરમાથતા કહેતું નથી. જ્ઞાનીને નાના પ્રકારના નિમિત્તરૂપ ઔદયિક ભાવ હેય છતાં જ્ઞાની તેને માત્ર તમાશગીર (જાણનાર) છે. તે ભાવને કદાપિ કર્તા, હર્તા, ભેતા, કે અવલંબી નથી. " જ્ઞાનીની હય, (અશુદ્ધતાને ત્યાગ) ય, (પરવ્યાદિવિચાર) ઉપાદેય, (પિતાના દ્રવ્યની શુદ્ધતાનું આચરણ) શકિત ગુણસ્થાના નુસાર હોય છે. અર્થાત સમ્યગ્દષ્ટિને મિશ્રનિશ્ચયાત્મક દ્રવ્ય હા
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy