SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની જાણે છે કે આત્માનું જ્ઞાન પિતાથી સ્વયંસિદ્ધ છે, અનાદિ અનંત, અચળ, એક છે તેમાં વળી બીજાથી અણ ધાર્યું કયાંથી થાય અર્થાત અકસ્માત કયાંથી આવે ? માટે મારામાં કાંઈ પણ એકાએક ઉત્પન્ન થતું નથી એમ જાણતા જ્ઞાનને અકસ્માતને ભય હોતો નથી. શંકાકાર:- હે ભગવંત! સમ્યગ્દષ્ટિ જ્ઞાનીઓને ભય થત જોઈએ છીએ તે પછી આપે જ્ઞાનીને નિર્ભય કેમ કહ્યો? ઉત્તર- હે ભદ્ર! દર્શનમોહનીય કર્મના ઉદયથી થતે દ્રવ્યત્વ ભાવના નાશને ભય હવે જ્ઞાનીને થતો નથી. ચારિત્રમેહનીય કર્મની ભય પ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઉપજે છે વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની વર્તમાન પીડા નહી સહી શકવાથી તે ભયને ઇલાજ પણ કરે છે છતાં તે કર્મના ઉદયને સ્વામી થઈને કર્તા થતો નથી પણ જ્ઞાતા રહે છે. અર્થાત્ તેને એવો ભય થતો નથી કે જેથી જીવ સ્વરૂપના જ્ઞાને શ્રદ્ધાનથી યુત થઈ જાય અથવા પરદ્રવ્યથી પિતાના દ્રવ્યત્વ ભાવને નાશ થઈ જાય એમ કદી માનતા નથી. તે જાણે છે કે પર્યાયનો સ્વભાવજ વિનાશીક છે તેવી શ્રદ્ધાનના બળે તે નિર્ભય છે. આ વાત જ્ઞાની જ જાણી શકે પણ મિથ્યાત્વના ઉદયમાં અજ્ઞાનીની બુદ્ધિ ન આ વાત પકડી શકે, ન જાણું શકે, ન તેની શ્રદ્ધામાં બેસી શકે. તેને તે જેવી પિતાની ક્રિા થતી હોય તેવી અંતરંગથી અન્યની જાણે વળો બાહ્ય ક્રિયા બનેની સમાન દેખાય તેથી બાહ્ય ક્રિયાથી અનુમાન કરે, તે અજ્ઞાની જીવને જ્ઞાનીની અંતરંગ ક્રિયાનું જ્ઞાન ક્યાંથી થાય? અર્થાત તેને એવા થઇને કર્તા થતા કરે
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy