SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ પર પછી ઉદયમાં આવે છે. અને બાહા દ્રષ્ય, ક્ષેત્ર, કાલ, ભાવનું નિમિત્ત ન મળે તે વગર ફલ આપે ખરી જાય છે અને જે નિમિત્ત અનુકૂળ હોય તે ફલ આપીને ખરી જાય છે; કર્મ બંધાયા પછી અબાધા કાલ છોડી બાકી પોતાની સર્વ સ્થિતિમાં ભાગ પડી જાય છે. અને તે ભાગાનુસાર સમય સમય ખરતા રહે છે. ક્રોધ, માન, માયા, લેભ ચારે કષાયોનો બંધત એક સાથે થાય છે. પરંતુ ઉદય એકનોજ એક સમયમાં હોય છે. તેને ભાવ એવો છે કે, ચારે કષાયોની વર્ગણાઓ પ્રત્યેક સમયે પોતાના ભાગાનુસાર ખરે છે. પરંતુ જેવું બાહ્ય નિમિત્ત હશે તેને જ ઉદય કહેવામાં આવે છે, જે કે અન્ય કષાયની વર્ગણ પણ અવશ્ય ખરે છે, અથવા સંક્રમણ કારણરૂપ થઈ ખરે છે. તેટલા માટે જે કર્મફલ પ્રગટ આપીને ખરે છે તેના ઉદયને રદય કહે છે અને જે વગર ફલ આપે ખરે છે તેને (ઉદયને) પ્રદેશેાદય કહે છે. દષ્ટાંત - જેમ કે માણસને ક્રોધ કષાયના કર્મની વર્ગ બરાબર ૩૦ ત્રીશ મિનીટ સુધી ખરી રહી છે. (૧૫) પંદર મિનીટ સુધી તેને કોઈ નિમિત્ત કોધ કરવાનું ન મલ્યું, તે જીવ લોભની તરફ ફસાએલ છે ત્યાં સુધી કોધની વર્ગણ વગર ફલ આપે ખરી ગઈ. અને ૧૫ મિનીટ પછી તેને ક્રોધ કરવાનું નિમિત્ત મલી ગયું તો કોધરૂપ ફલ આપવા લાગ્યું અર્થાત તે જીવ ફોધી થઈ ગયે ત્યારબાદ પોતે શાંત થઈ ગયે તેમાં પાંચ મિનીટ લાગી ત્યારે વીશ મીનીટથી લઈ જ્યાંસુધી ૩૦ મિનીટ પુરી ન થઈ ત્યાંસુધી વગર નિમિત્ત ક્રોધ કષાય કાંઈ પણ ફલ આપ્યા વિના ખરી જાય છે. કર્મ બંધાઈ ગયા પછી તેમાં સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, ઉદીરણ થઈ શકે છે. માટે છે, અથવા સંક્રમણ ય કષાયોની વગર
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy