SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ છવ, જ્યારે શ્રી નિગ્રંથ ગુરુના ઉપદેશને સમ્યક પ્રકારે ગ્રહણ કરી તત્ત્વ વિચાર પૂર્વક મંત્રનું દાન કર્યું, ત્યારે દર્શનમોહનીય રૂપ અનાદિના દુશ્મનને ઢીલું કરે છે અને વારંવાર તેજ મંત્રના સતત પ્રયત્નથી તેને પોતાના દેશમાંથી સદાને માટે નાશ કરી નાખે છે ત્યારે તે જીવ સર્વ પ્રકારના ભયાદિથી નિર્ભય થઈ જાય છે તેમ જાણવું. કમના મંદ ઉદયમાં જે જીવ પુરુષાર્થ કરી મિક્ષ માર્ગમાં પ્રવૃત્તિ તે તે મોક્ષને જરૂર પામે. પણ જે તે મેક્ષ માર્ગમાં ન પ્રવૃત્તેિ તે કિંચિત્ વિશુદ્ધતા પામી પાછળથી તીવ્ર ઉદય આવતાં નિગોદાદિ પર્યાયમાં ચાલ્યા જાય છે, માટે હે ભવ્ય છે! અવસરચુક એગ્ય નથી. હવે સર્વ પ્રકારથી અવસર અનુકૂળ આવ્યું છે, આવો અવસર પાછો પામ મહાન કઠીન છે; માટે લેશ માત્ર પ્રમાદ ન કરે, જીંદગીને એક સમય પણ નકામો વિવાદમાં, પરાઈ નિંદા ઝગડામાં જવા દેશે નહી; તેની કિંમત આંકજે, જદી કરે, જલ્દી કરે, જાગ્યા ત્યાંથી સવાર, હવે ઢીલ કરવી તમને યોગ્ય નથી; એમ શ્રી ગુરુ ભવ્ય જીવાત્માઓને જાગ્રત કરે છે, તે હવે તમારે કયારે જાગવું છે.? દ્રવ્યકમના ઉદયથી ભાવકર્મ થાય, અને ભાવના નિમિત્તથી દ્રવ્યકમ થાય, આ પ્રમાણે અનાદિકાળથી પરંપરા ચાલી આવે છે છતાં કર્મને બંધ વા ઉદય સમાનતે રહેતા નથી. કર્મોદયના નિમિત્તથી ભાવ તીવ્રમંદ થાય છે, તેને નિમિત્તથી નવા કર્મ બંધ તીવ્ર મંદ થાય છે. મંદ કષાયમાં જીવને આયુકમ બંધ થવાને અપકર્ષણ આવ્યો અને જીવને મનુષ્ય સંજ્ઞો પચેન્દ્રિય
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy