SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ કરી પા મિથ્યાત્વના ઉદયથી મિથ્યાદષ્ટિ થાય છે તેવા સાદી મિથ્યાણિ જીવને મિથ્યાત્વની સાથે અનંતાનુબંધી કેટલાક સમય હેતા નથી. તે સૂક્ષમ ભેદને છેડી સ્થલતાથી અનાદિ મિથ્યાષ્ટિઓને મિથ્યાત્વ સાથ અનંતાનુબંધીને એક સમય પણ સહચારીપણું વિનાને ન હોય તેમ અવધારવું) મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો સંબંધ - - અનંત એટલે અમર્યાદિત અવસ્થારૂપ સંસાર પરિભ્રમણનું કારણ હોવાથી મિથ્યાત્વ પરિણામને પણ અનંત કહેલ છે. જેમ પ્રાણનું પિષણ કરનાર કારણ અન છે, છતાં પણ તેને પ્રાણ કરેલ છે, તેમ મિથ્યાત્વરૂપ અનંત અને તેની અનુ એટલે સાથે સાથે બંધાય, તેને અનંતાનુબંધી ક્રોધ માન માયા લેભરૂપ કષાય કહે છે, અર્થાત અનંતાનુબંધી કષાના તીવ્ર ઉદયમાં અનંત સંસાર પરિભ્રમણનું કારણ, અતિ તીવ્ર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કષાયેને અનંતાનુબંધી કહે છે: તેમજ મિથ્યાત્વની સાથે જ શહેવાવાળા જે અનંતાનુબંધી કષાય છે, તેમને પણ સહચારીપણના સંબંધથી મિથ્યાત્વ કહેવામાં આવે છે જે કાર્ય મિથ્યાત્વનું છે. તે જ કાર્ય અનંતાનુબંધી કષાનું પણું છે, એટલા માટે સમ્યકત્વને ઘાત કરવામાં આ કષાયોનું કાર્ય પણ છે. અનાદિ મિથ્યાદષ્ટિ છમાં મિથ્યાદર્શનને અને અનંતાનુબંધી કષાયને ઉદય નિરંતર રહ્યા જ કરે છે. બીજા કાંઈક મંદ અપ્રત્યાખ્યાનાવરણ કષાયો એકદેશ ચારિત્રરૂપ શ્રાવકેનાં અર્વતને ઘાત કરે છે, અર્થાત એકદેશ
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy