SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ પ.. જેઓ કાન્તિથી દશે દિશાઓને નિર્મળ કરે છે, જેમાં તેજ પ્રભામંડળ) વડે અત્યંત તેજસ્વી સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે જેઓ રૂપથી જનેનાં મનહરી લે છે, જેઓ દિવ્યધ્વનિ વડે ભવ્યના કાનમાં જાણે કે સાક્ષાત અમૃત વરસાવતા હોય એવું સુખ ઉત્પન્ન કરે છે, જેઓ એક હજાર ને આઠ લક્ષણેના ધારક, સમવસરણાદિ વિભૂતિના સ્વામી ઈન્દ્રાદિક પણ જેઓના દાસપણે વતે છે અને ત્રિભુવનના અધિપતિઓના વલભપણુ એવું જેમનું માહાત્મ્ય છે તે તીર્થંકર સૂરિઓ અહંત પરમાત્મા જ વંદ્ય છે. જે સકળ નિર્મળ કેવળજ્ઞાન, કેવળદર્શન, પરમવીતરાગાત્મક આનંદ આદિ અનેક વૈભવથી સમૃદ્ધ છે, જે ત્રિકાળ નિરાકરણ નિત્યાનંદ એકરૂપ જેનું સ્વરૂપ છે એવા નિજ કારણ પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્ય પરમાત્મા, તેજ ભગવાન અહંત પરમેશ્વર છે. આ ભગવાન પરમેશ્વરના ગુણેથી વિપરીત ગુણોવાળા બધા દેવાભાસે, ભલે દેવપણાના અભિમાનથી દગ્ધ હોય તે પણ તેઓ સંસારી છે. - ધર્મ ઉપદેશનાદાતાર અરિહંતદેવ આપ જગપૂજ્ય છે. કર્મરૂપી શત્રુને જીતવાવાળા હોવાથી જિન છે. સંપૂર્ણ દેના સ્વામી છો તેટલા માટે મહાદેવ છો. સુખ દેવાવાળા છે તેથી જ શંકરે કહેવાય છે. કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીથી બધા પદાર્થોના જાણવાવાળા હેવાથી વિષ્ણુ (વ્યાપક) . આત્માને જાણવાવાળા હોવાથી બ્રહ્મા છો. દુઃખને દૂર કરવાવાળા હોવાથી હરિ છે. આદિ અનેક નામેવાળા છો છતાં દેવત્વ લક્ષણની અપેક્ષાથી
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy