SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક નિયતિવાદ जं जस्स जम्मिदेसे जेण विहाणेण जम्मि कालम्मि । णादं जिणेण णियदं जम्म वा अहव मरणं वा ॥३९९॥ तं तस्स तम्मि देसे तेण विहाणेण तम्मि कालम्मि । को सका चालेदु इंदो वा अह जिणिदो वा ॥४००। અર્થ – જે જીવને, જે દેશમાં, જે કાળમાં, જે વિધાને (સામગ્રીએ) કરી જન્મ, મરણ, સુખ, દુઃખ, રોગ, દારિદ્ર આદિ જેવું સર્વજ્ઞવે જંપ્યું છે તે પ્રમાણે તે બધું નિયમથી થશે. તેમજ તે જીવને તેજ દેશમાં તેજ વિધાને કરી નિયમપૂર્વક થાય છે, તેને ઈન્દ્ર તથા જિનેન્દ્ર, તીર્થંકરદેવ કેઈપણ ફેરવવા સમર્થ નથી. ભાવાર્થ- સર્વપ્નદેવ વ્યવહારનયથી સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અવસ્થાઓને જાણે છે. અર્થાત સર્વદેવના જ્ઞાનમાં પ્રતિભાસ્યું છે તે પ્રમાણે નિયમથી થાય છે તેમાં આઘું પાછું એ અધિકું કાંઈ પણ થતું નથી, એમ સમ્યગ્દષ્ટિ વિચારે છે. વિશેષાર્થ-સમ્યગ્દષ્ટિ જિનેન્દ્ર કથિત વચનને દઢ શ્રદ્ધાની હોય છે. તે વિચારે છે કે જિનેન્દ્રભગવાનના નિર્મળ સ્ફટિક જ્ઞાનમાં જગતના સર્વ પદાર્થો તેના ગુણ પર્યાય સહિત ત્રિકાળવતી યુગપ્ત ઝળકી રહ્યા છે, તેજ પ્રમાણે સઘળું થાય છે. તે ફેરવવા કેઈ સમર્થ નથી. અર્થાત્ જિનેન્દ્રના જ્ઞાનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, સ્વપ્રત્યય અને પરપ્રત્યય, કાર્યકારણ, નિમિત્ત નૈમિત્તિક, નિમિત્ત ઉપાદાન આદિ જણાયેલ છે તે પ્રમાણે નિશ્ચયથી થાય છે. તે જિનાગમને દઢ શ્રદ્ધાની હોય છે એટલે સમ્યગ્દષ્ટિ રના, કાંઇ પણ નિયમથી થાય સ વિરોધ
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy