SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ સંવર પૂર્વક નિર્જરા થાય છે. મોક્ષનું કારણ નિર્જરા છે. અર્થાત્ જે ભાવથી નિર્જરા થાય છે તે ભાવજ એક્ષનું કારણ છે. લાયક કેવલજ્ઞાન થવા પહેલાં જીવને ક્ષયે પશમિક જ્ઞાન હોય છે. પશમિક શ્રુતજ્ઞાન સમ્યગ્દર્શન સહિત હોવાથી વીતરાગતાના અંશ સહિત હોય છે અને જ્યારે તે જ્ઞાન સ્વાત્માનુભવમાં લીન થાય છે ત્યારે વિશેષ વીતરાગતા પ્રગટ થાય છે. તેવી વિતરાગતામાં તયપણુંજ પ્રબલ અવિપાક નિજેરાનું કારણ છે જેથી અનેક સમય પ્રબદ્ધ એક કાળમાં ઝડી જાય છે અને જેમ જેમ અભ્યાસ (સ્થિરતા) વધતું જાય છે તેમ તેમ ભાવમાં વિશેષ શુદ્ધતા આવતી જાય છે. અર્થાત્ વીતરાગતાને અંશ વધતો જાય છે અને સરાગતા ઘટતી જાય છે, એ પ્રમાણે સર્વ મેહકર્મને નાશ કરી જીવ બારમાં ગુણસ્થાનમાં જાય છે. ત્યાં પણ ક્ષપશમ ભાવકૃતજ્ઞાનની પરિણતિ પરમ એકાગ્રરૂપ હોય છે. તેના બલથી ત્રણ ઘાતિયા કર્મોને નાશ કરી જીવને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અર્થાત ક્ષાયક શુદ્ધજ્ઞાન થાય છે. તેજ આત્માને નિજ સ્વભાવ છે. તે સિદ્ધોમાં પણ હોય છે તેને શુદ્ધપારિણામિકભાવ પણ કહી શકાય છે. કારણ કે પોતાના પરિણામિકભાવ સમ્મુખ જે આત્માનુભવ સ્વભાવરૂપ ભાવ હતું તેજ એક દેશ શુદ્ધપારિણમિક ભાવ કહેવાય છે. ચારિત્રની અપેક્ષાએ તે ભાવને બારમા ગુણસ્થાનથી નીચે ઉપશમ ચારિત્ર, ઉપશમ ચારિત્ર અને ક્ષેપક શ્રેણિની અપેક્ષાએ એક દેશ ક્ષાયક ચારિત્ર અને પછી લાયક અથવા યથાખ્યાત ચારિત્ર કહે છે. સમ્યકત્વની અપેક્ષાથી તે આત્માનુભવરૂપી ભાવને ઉપશમસમ્યકત્વમાં ઉપશમ,
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy