SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાથી મેં યત્કિંચિત્ સમ્યક્ત્વ રત્નના વિષયમાં નિગ્રંથ પ્રવચનેાના સંગ્રહ કરી સતત પ્રયત્નથી તૈયાર કરવામાં આવ્યે છે. જોકે સમ્યક્ત્વનું લક્ષગ તે સ્વાનુભૂતિ છે. તે અનિર્વચનીય છે, અજ્ઞેય છે. અર્થાત્ મન, વચન કે બુદ્ધિ આદિથી દૂર છે માત્ર એક સ્વાનુભૂતિગમ્ય છે. શુદ્ધાત્મતત્ત્વ એક તા અશ્રુતપૂર્વ છે તેમજ સર્વ જવાની રુચિને આ વિષય નથી, તેને કહેવાને ચા લખવાને પર્યાપ્ત કાઈ સાધન નથી. એક સાધારણમાં સાધારણ વિષયને પણ સર્વાંગપૂર્ણ સમીચીન વર્ષોંન કરવું જયાં મહાન કઠણ છે તા પછી અચિન્ત્ય નિર્વિકલ્પ આત્મતત્ત્વની તેા વાતજ શું કરવી? એટલે આવી પરિસ્થિતિમાં જે આ સ્વાનુભવગમ્ય શુદ્ધાત્મ તત્ત્વના ક્શનમાં સ્ખલન (ભૂલ) થઇ જાય તેા કોઇ આશ્ચય ની વાત નથી. સમ્યગ્દર્શનનું પ્રધાન કારણુ સમ્યગ્દર્શનનું પ્રધાન કારણું આપ્ત, આગમ પદાર્થનું જાણવું છે. તે વિના જીવને તત્ત્વવિચાર થાય નહી અને તત્ત્વવિચાર વિના તત્ત્વપ્રતીતિ થાય નહી; માટે જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય એવા વિચારથી આ ગ્રંથ નિગ્રંથ પ્રવચનેાના સંગ્રહરૂપ મારી અપબુદ્ધિએ તૈયાર કરવામાં આવ્યા છે. જે ભવ્ય જીવે વાંચશે, વિચારશે, મનન કરશે, તેનું શ્રદ્ધાન દૃઢ થશે. અર્થાત્ જીજ્ઞાસુ ભવ્યાત્માઓને અમૃત ધારાથી સંચિત કરી તૃપ્ત કરશે. જૈન ગ્રંથ પ્રકાશન માળાની ઉત્પત્તિ દ્રવ્યેાના સ્વરૂપનું કથન કરવાવાળાં અનેક મહાન ગ્રંથા પૂવાચાયોએ પહેલાં રચેલા છે, તથાપિ માળબુદ્ધિ ( અશુદ્ધિ)
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy