SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ - ક્ષાયિક જ્ઞાનમાં વિકલ્પપણું પિતાના લક્ષણથી આવે, છે પરંતુ અર્થથી અર્થાન્તરાકારમાં પરિણત થવાવાળા ઉપગના સંક્રમણ રૂપ વિકલ્પાત્મક લક્ષણથી નથી આવતું. तल्लक्षणं स्वापूर्वार्थविशेषग्रहणात्मकम् । एकोऽर्थो ग्रहणं तत्स्यादाकारः सविकल्पता ॥३४४॥ અર્થ- ક્ષાયિક જ્ઞાનનું લક્ષણ આ પ્રકારે છે. સ્વ-આત્મા અને અપૂર્વ પદાર્થને વિશેષ રીતિથી ગ્રહણ કરવા. અહીં અર્થ નામ પદાર્થનું છે અને ગ્રહણ નામ આકારનું છે. સ્વ અને પર પદાર્થને જ્ઞાનનું સાકાર થવુંજ જ્ઞાનમાં સવિકલ્પતા છે. ભાવાર્થ- જે જ્ઞાન પિતે પિતાને જાણે છે, સાથે પર પદાર્થોને પણ જાણે છે પરંતુ ઉપયોગથી ઉપયેગાન્તર નથી થતું, તેને ક્ષાયિક જ્ઞાન કહે છે. જો કે ક્ષાયિક જ્ઞાનમાં પણ પદાર્થના પરિવર્તનની અપેક્ષાથી પરિવર્તન થયા કરે છે તે પણ તેમાં છવાસ્થ જ્ઞાનની માફક કમકમ પદાર્થનું ગ્રહણ નથી. પરંતુ ક્ષાયિક જ્ઞાન સર્વે પદાર્થોને એક સાથે જ જાણે છે, એટલા માટે એમાં ઉપગ સંક્રાન્તિ રૂપ લક્ષણ ઘટિત નથી થતું પરંતું યાકાર હોવાથી તે સવિક૯૫ અવશ્ય છે. જેવી રીતે મતિ, શ્રત, અવધિ અને મન:પર્યયજ્ઞાન ક્રમથી પદાર્થોને બંધ કરે છે, એવી રીતે કેવળજ્ઞાન કમથી બંધ નથી કરતું; કિન્તુ એક સાથેજ સમસ્ત પદાર્થોને જાણે છે, એનું કારણ એ છે કે કેવળજ્ઞાન નિરાવરણ છે. તેમાં ઈન્દ્રિય અને મનની કિંચિત માત્ર પણ અપેક્ષા નથી. કેવળજ્ઞાનથી વિપરીત મતિ, કૃત આદિ ચારે
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy