SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ને માટે સન્મુખ થએલ આત્માના ઉપગને-ભાવમનને સહાયતા કરવાવાળા પુગલપિંડને દ્રવ્યમન કહે છે. ભાવ મન એ જ ઉપયોગી છે. જ્ઞાનપગ સાકાર છે, પ્રગટ અનુભવ ગોચર છે, એથી જ આત્મા જાણવામાં આવે છે. ચૈતન્ય આત્માને સ્વભાવ છે અને તે ચૈતન્ય સ્વભાવને જે કહે (જણ) એવું જે આત્માનું પરિણામ (પરિણમનપરિણતિ) તેને ઉપગ કહે છે. અથવા આત્માનાં જે પરિણામ ચૈતન્ય ગુણની સાથે રહેવાવાળા છે તેને ઉપગ કહે છે. અથવા જે ચિતન્ય ગુણની સાથે સાથે અન્વયરૂપથી પરિણમન કરે તે ઉપયોગ છે. અથવા જે પદાર્થને જાણવા સમયે આ ઘટ છે આ પટ છે ઈત્યાદિ પદાર્થોને ગ્રહણ કરવાને જે વ્યાપાર (પ્રવર્તન) કરે તે ઉપગ છે અથવા. "गुणपर्ययवद्वस्तु तदग्रहण व्यापार उपयोगः " અર્થ - ગુણપર્યાય સ્વરૂપ જે વસ્તુ છે તેને ગ્રહણ કરવારૂપ જે વ્યાપાર તેનું નામ ઉપગ છે. જે વિકલપ સહિત છે તે જ્ઞાનેપગ છે અને વિકલ્પ રહિત સામાન્ય ઉપગ છે તે દર્શનેપગ છે એ બન્ને ઉપગની સાથે જીવ હેય છે ઉપગ જીવથી સદાય પ્રદેશોની અપેક્ષાએ અભિન્ન છે; એક છે. ઉપયોગ જીવનું લક્ષણ છે ઉપગ તે વ્યાપાર છે. ઉપગથી જીવ પદાર્થોને જાણે છે, દેખે છે. અમે ઉપયોગને જ દેખીને નિશ્ચય કરીએ છીએ કે અમુક પ્રાણી સજીવ છે જેમાં ઉપયોગ નથી હેતે તે શરીર નિર્જીવ હોય છે જ્યારે ઈ સંસારી પ્રાણુ પોતાના ઉપયોગથી સાંભળે છે, દેખે છે, સુંઘે છે, સ્વાદ લે છે, સ્પર્શ કરે છે, ત્યારે અમે અનુમાન કરીએ છીએ કે એમાં જીવ છે, અને જ્યારે કેઈ
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy