SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શ૦ બુદ્ધિથી પિતાના સમજે છે ત્યાં સુધી આ જીવ સંસારી છે; અને જ્યારે “મન, વચન, કાયા, એ ત્રણેને તથા એના નિમિત્તથી ઉત્પન્ન થએલ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ વિકારાને તથા સ્ત્રી પુત્રાદિક બાહ્ય પદાર્થોને આ-જીવ પૂર્ણ રૂપથી આત્મબુદ્ધિએ ભિન્ન સમજી લે છે અથવા અનુભવ કરે છે ત્યારે મુક્તિનું પાત્ર બની જાય છે. पश्यनिरंतरं देहमात्मनोऽनात्मचेतसा । अपरात्मधियाऽन्येषामात्मतत्वे व्यवस्थितः ॥२६॥ અર્થ - આત્મસ્વરૂપમાં સ્થિર થઈને પિતાના શરીરને નિરંતર આત્માથી ભિન્ન સમજવું જોઈએ, અર્થાત્ આ શરીર તે મારે આત્મા નથી તેમ દેખવું જોઈએ. અને સ્ત્રી, પુત્રાદિક, બીજા છના શરીરને એના આત્માથી ભિન્ન માનવું જોઈએ. ભાવાર્થ- દેહની સાથે આત્માની અભેદબુદ્ધિ અનાદિ કાળથી થઈ રહી છે, નિરંતર ઉત્તમ ઉત્તમ ઉપદેશો મળવા છતાં પણ આ વ્યાહનું મટવું કષ્ટ સાથે સમજી આચાર્યદેવ વારંવાર જીવને યુક્તિઓથી સમજાવે છે કે હે જીવ! વિવેક્ષાભેદથી પુદ્ગલને પુદગલા અને આત્માને આત્મ સમજે જોઈએ. કર્મકૃત પાધિકભાવને પિતાને ભાવ ન સમજવો જોઈએ. અજ્ઞાનરૂપ અર્થાત રાગાદિપ અપરાધથી જીવને શરીરરૂપી કારાગ્રહમાં રહેવું પડે છે અને તે શરીરરૂપ વિભાવ પર્યાય કર્મોપાધિજનિત જીવની અવસ્થા છે, પણ સ્વભાવ નથી. તે નાશવંત છે પણ સ્થિર નથી.
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy