SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ - હે ભવ્ય આત્મા ! તું આત્મજ્ઞાનામૃતનું અંતરંગમાં સભ્યપ્રકારે આરાધન કર; કેમકે આત્મજ્ઞાન, પાપરૂપી અંધકારને નાશ કરવાને માટે સૂર્ય સમાન છે. અને મેક્ષ રૂપી મહાલક્ષમીને નિવાસ કરવાને માટે સહસ્ત્ર દળ કમળ સમાન છે તથા કામરૂપી દષ્ટિ વિષ સપને કલવાને (સ્તંભન કરવાને) માટે મહા મંત્ર સમાન છે. વન રૂપી મદેન્મત્ત હાથીને માટે સિંહ સમાન છે. વ્યસન (આપદા-દુઃખ) રૂપી મેને ઉડાડવાને માટે પ્રચંડ પવન સમાન છે અને સમસ્ત તને પ્રકાશ કરવાને માટે રત્ન દીપક સમાન છે, તથા વિષપ રૂપી મત્સ્યને પકડવાને માટે જાળ સમાન છે. ભાવાર્થ- કર્મ બંધનથી છૂટવાનું મુખ્ય કારણ માત્ર એકજ આત્મજ્ઞાન છે તથા સ@ાસ્ત્રોનું જ્ઞાન પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જ કરવામાં આવે છે. જેમ દીપકના પ્રકાશથી વસ્તુ દેખીને તેને ઉપાડી લેવામાં આવે છે અને દીપકનો ત્યાગ કરવામાં આવે છે. તેમ શુદ્ધાત્મ તત્વને ઉપદેશ કરવાવાળાં જે અધ્યાત્મ શાસ્ત્રો તેનાથી શુદ્ધાત્મ તત્વને જાણીને તેને અનુભવ કરવું જોઇએ; અને ત્યાર પછી શાસ્ત્રોનો વિકલ્પ છે. જાઈએ. શાસ્ત્ર તે દીપક સમાન છે, અને શુદ્ધાત્મતવ રત્ન સમાન છે. आत्मध्यानादपरमखिलं घोरसंसारमूलं । ध्यानध्येयप्रमुखसुतपः कल्पनामात्ररम्यम् । । बुदवा धीमान् सहजपरमानंदपीयूषपूरे। निर्मजन्तं सहजपरमात्मानमेकं प्रपदे ॥२०७॥
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy