SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यग्दृष्टिः स्वयमयमहं जातु बन्धो न मे स्या । दित्युत्तानो पुलक वदना रागिणोऽप्याचरंतु ॥ आलंबंता समिति परतां ते यतोऽद्यापि पाया । आत्मानात्मावगम विरहात् सन्ति सम्यक्त्वारिक्ताः ॥६०॥ અર્થ- જે જીવને સમ્યજ્ઞાનરૂપી સૂર્ય ઉદય અંતરંગમાં પ્રગટ નથી થયેલ અને પારદ્રવ્યમાં રાગ, દ્વેષ અને મેહરૂપ પરિણતિએ કરી પરિણમેલ છે; તેમ જ પિતાને એમ માને છે કે, “હું સમ્યગ્દષ્ટિ છું. મને કયારે પણ કમને બંધ નથી તે; કેમકે શાસ્ત્રોમાં સમ્યગ્દષ્ટિને બંધ નથી થતું, એમ કહ્યું છે.” તે જીવ માત્ર બ્રાન્તિથી પિતાને સમ્યગ્દષ્ટિ માની બેસે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી માન કષાયના તીવ્ર ઉદયથી જેનું સુખ ગર્વ સહિત ઊંચું થયેલ છે, તેમજ હર્ષ સહિત રોમાંચિત, થયેલ છે, એવા છે ભલે મહાવ્રતાદિ આચરણ કરે તથા વચન, વિહારઆહારની ક્રિયામાં યત્નપૂર્વક પ્રવર્તવાની ઉત્કૃષ્ટતાનું અવલંબન કરે, અંતે તો તેઓ પાપી મિથ્યાદૃષ્ટિ જી જ છે. આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત એટલે સમ્યકત્વમાં શૂન્ય-મીંડા જેવા તેઓ છે. સિદ્ધાંતમાં મિથ્યાત્વને જ પાપ કહેલ છે. જયાં સુધી મિથ્યાત્વ રહે છે, ત્યાં સુધી શુભ અશુભ સર્વે કિયાઓને અધ્યાત્મમાં પરમાર્થ દૃષ્ટિથી (નિશ્ચય દૃષ્ટિથી) પાપરૂપ જ કહેલ છે. અનંતાનુબંધી મિથ્યાત્વ સહિત રાગને જ રાગ કહેલ છે. કેમકે, તે રાગ સમ્યગ્દષ્ટિને નથી. એવા સૂમ ભેદને ભેદજ્ઞાની સમ્યગ્દષ્ટિ જ જાણે છે. સમ્યગ્દષ્ટિને કર્મોને નાશ કરવાનું કારણ એવું પિતાનું જ સમ્યજ્ઞાનરૂપ
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy