SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ છે દેશના આ જ્ઞાન, દયા ને ક્રિયા ૫૪ WWWEBSITASTY RESTABLISHES 888 'नाणं पंचविहं पन्नत्तं आभिणिबोहियं नाणं' इत्यादि । નંદીનું નિયમિત થન શાસ્ત્રકાર મહારાજા કૃત-કેવળી–ભગવાન ભદ્રબાહુ સ્વામી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે દશ શાસ્ત્ર ઉપર નિયુક્ત કરતાં પ્રથમ આવશ્યક સૂત્ર ઉપર નિર્યુક્તિ કરે છે. શાસ્ત્ર માત્રની આદિમાં શાસ્ત્રકારોએ પાંચ જ્ઞાનેનું વ્યાખ્યાન નિયમિત કર્યું છે. દરેક શાસ્ત્રની વ્યાખ્યા કરતાં “નંદી” કરવું જ જોઈએ. નંદી એટલે શું? નંદી એટલે પાંચ જ્ઞાનનું વર્ણન. પાંચ જ્ઞાનેનું વર્ણન એનું નામ નંદી હેવાથી, દરેક શાસ્ત્રની આદિમાં તેનું ઉચ્ચારણ કરીને પછી ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા કરવી પડે છે. કેઈપણ શાસ્ત્ર સંબંધમાં કોઈપણ વિધિ કરે છે તે પ્રથમ નંદીને સ્થાન મળે છે. આખા નંદી સૂત્રનું અમુક વખતે વર્ણન કરવામાં આવે છે, પરંતુ સર્વ અનુયેગની અનુજ્ઞા હોય તે વખતે નંદીની વ્યાખ્યા અનુગ લેનારને કરવી પડે છે. દરેક સૂત્રના અનુગ અવસરે પણ પાંચ જ્ઞાનરૂપ નંદી જરૂર કરે પડે છે. નંદીને વ્યાખ્યાનનું અનિયમિત છતાં નદીના કથનનું અનિયમિતપણું નથી. અનુગ સૂત્રના ટીકાકાર મલધારી શ્રી હેમચન્દ્રસુરિ દરેક શાસ્ત્રની આદિમાં નદીનું અનિયમિતપણું જણાવે છે. તે વ્યાખ્યાનની અપેક્ષાએ જણાવે છે. પાંચ જ્ઞાન કથન કરવા રૂપ નંદીનું અનિયમિતપણું કેઈપણ સ્થળે છે જ નહિ. કથનરૂપી નંદી દરેક શાસ્ત્રની આદિમાં નિયમિત છે. વ્યાખ્યાનની અનિયમિતતા છે. વ્યાખ્યા પ્રાયિક છે. છતાં નંદીનું કથન પ્રાયિક નથી. નંદીનું કથન નિયમિત છે. કેઈપણ શાસ્ત્રની વ્યાખ્યા પહેલાં, ઉદેશાદિક પહેલાં નંદીનું
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy