SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪] દેશના મહિમા દર્શન જૂઠા શબ્દના શ્રવણમાં ફરક નસીબ-પુણ્યની ઉત્પત્તિ ધર્મની આરાધનાથી છે. આર્ય-અનાર્યના વિભાગનું પૂર્વકાળમાં જુદી જુદી રીતે વર્ણન કરેલ છે. ભગવાન બાષભદેવના સમયમાં હકાર-મકાર અને ધિકકારની નીતિ પ્રવર્તી હતી. તેથી તે નીતિને અનુસરીને આર્ય-અનાર્યને વિભાગ હતું. પ્રભુ મહાવીર મહારાજાના સમયમાં જે ક્ષેત્રમાં તીર્થકરે, ગણધરે, ચક્રવતીઓ થાય તે દેશમાં રહેનારને આર્ય કહેવાતા હતા. પરંતુ ભદ્રબાહુસ્વામીના સમયમાં ધર્મના વિચાર, વર્તન અને ધર્મ' શબ્દ શ્રવણ થાય તે આર્ય દેશ, તે સિવાયને અનાર્ય પ્રદેશ નકકી થયું. ધર્મ એક એવી ચીજ છે કે ધર્મ નહિ કરનારને ધર્મના દ્વેષને અને ધર્મ રહિત મનુષ્યને ધમી શબ્દ સાંભળ સારો લાગે છે. આ ઉપરથી એ પણ નક્કી છે કે સારી લાગતી ચીજના જૂઠ્ઠા શબ્દો પણ સારા લાગે છે અને ખરાબ લાગતી ચીજના ભૂકા શબ્દ પણ ખરાબ લાગે છે. જુઓ, લેટ માંગવા નીકળેલ બ્રાહ્મણ આશીર્વાદ આપે છે કે સાત છોકરાની મા થજે, ધનના અખૂટ ભંડાર ભરે, પુત્ર પરિવાર “વાડી–ગાડી વધે!” આ શબ્દોને બેલનારે સત્યવાદી નથી, વચનસિદ્ધ નથી, છતાં ધન, પુત્ર પરિવારની વૃદ્ધિ પસંદ છે તે જૂઠા શબ્દ પણ કાનને મધુર લાગે છે. વાતવાતમાં કોઈ કહે કે “તારું નખેદ જાય તે બોલવાથી નખેદ જતું નથી પણ સાંભળતાં દુઃખ થાય છે, કારણ કે ખરાબ ગણેલી ચીજને બેટે શબ્દ પણ શ્રવણને અમધુકર લાગે છે. પુણ્ય નહિ માનનારા હરામખેર ધર્મ નહિ કરનારા કેટલાક એમ કહે છે કે પુણ્ય, નસિબ કે ધર્મ જેવી ચીજ નથી. આવું બેલના હરામખેરને આગેવાન છે. વગર મહેનતે મેળવેલી ચીજના માલિક થવું એ ભયંકર હરામખેરી છે. કેઈ કહે “તારા બાપે રાત-દિવસ મહેનત કરી, પેટે પાટા બાંધી લાખ ભેગા કર્યા. હવે તે લાખને તું માલિક થયે તે તું હરામર ખરે કે નહિ ?” - તું કહી શકે છે કે ભવાન્તરમાં પુણ્ય કરી મહેનત કરી છે, તે
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy