SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮. શાસ્ત્રની શ્રેષ્ઠતા [૩૦૫ | તીર્થકરોએ નવો કાયદો કર્યો નથી. ત્યારે કહે કે-સર્વકાળે, સર્વ ક્ષેત્રે, સર્વેઅવસ્થાએ તપાસીએ તે હિંસાદિક કરનારને પાપ લાગતું હતું, લાગે છે અને લાગશે. આ વસ્તુ નિત્ય હતી ત્યારે તીર્થંકર પહેલાં અને પછી પાપમાં શું ફરક? ત્યારે તે હીરે હાજર હતે. પણ દી ન હતા ત્યાં સુધી હીરે અને કાંકરામાં ફરક ન હતે. જ્યારે દી થાય ત્યારે બંનેને ફરક જણાઈ આવે. દીવો, હીરાને હીરારૂપે અને કાંકરાને કાંકરારૂપે ઓળખાવે. તેવી રીતે તીર્થંકર પહેલાં પણ પુણ્ય-પાપ-અધર્મ થતાં હતાં માત્ર જગતના છ ધર્મપુણ્યનાં કામોને ધર્મ-પુણ્યરૂપે જાણતા ન હતા તે તીર્થકર મહારાજાએ બતાવ્યા. તમારા ઈશ્વરે તેની પહેલાં જેને પાપ લાગતું ન હતું, અને પછી લાગતું કર્યું? તેમજ હિંસા ન કરે તે પણ પાપ લાગતું હતું, તે બંધ કર્યું ?” કર્યું શું ? હિંસાદિકથી પાપ થવું તે સર્વકાળેક્ષેત્રે સિદ્ધ ચીજ હતી. છતાં ખબર ન હતી. દી થયે અને આપણને માલૂમ પડયુંપરમેશ્વર થયા તેણે આપણને જણાવ્યું કે-“ હિંસાદિકની પ્રવૃત્તિથી પાપ થશે, અને તેની નિવૃત્તિથી દુઃખી નહીં થાવ' તેમ બતાવ્યું. બીજા મતવાળાએ ઈશ્વરને કયી જગ્યા પર સ્થાન આપ્યું ? બીજા દર્શનકારોએ ઈશ્વરનું ઈશ્વરપણું “બનાવ્યું તેમાં નાંખ્યું. ઈશ્વરને કયી જગ્યા પર રાખ્યા? જંગલીમાં જંગલી પ્રજા, ગુનાને અંગે બાળકને સજા લાયક ગણતી નથી. એક નાનો બાળક કઈક બાઈને વાળ ખેંચે છે કે તેને ધેલ મારે ? તે તમારી ટેપી પાડી નાખે, તે ગુને ગણી તેને સજા કરે છે? ના. કેમ ? બાળક અજ્ઞાન છે. તે શું સમજે ? વ્યવહારમાં અજ્ઞાનીના ગુનાઓ શિખામણ-નિવારણપાત્ર રહે છે, સજાપાત્ર હોતા નથી, તે ઈશ્વરની અપેક્ષાએ આપણે અજ્ઞાની છીએ.” ઉતરતી હદે છીએ. આપણું અપેક્ષાએ બાળક ઉતરતી હદે છે, તે ઈશ્વર બાળકને સજા કરે તે ઈશ્વરને કે ગણવે? ૨૦.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy