SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Rox] દેશના મહિમા દર્શન દેવાયું, નાગરિક, નીતિ, અનીતિ કોને અને કેમ કહેવાય? તેની રીત ફાયદા-નુકશાન વગેરે શિક્ષક સમજાવે. તેમાં શિક્ષક તમારી જિંદગીનાં–વર્તનના જોખમદાર નહીં, તેની જવાબદારી શિક્ષકને માથે નહીં. પછી તમને ઈષ્ટ લાગે તે રસ્તે જાવ. અને તેની જવાબદારી તમારે જ માથે. તમે સારા કે બેટા રસ્તે જાવ તેની જવાદારી શિક્ષકને માથે નહિ. તેનું કામ અસન્માર્ગના દુર્ગુણો અને સન્માર્ગના સદ્ગુણે સમજાવવા તે જ તે જ તેની ફરજ તેમ પરમેશ્વર તે આમ કરવાથી પાપ થાય,-આમ કરવાની પૂણ્ય થશે--આમ કરવાથી સંસારમાં રખડવું પડશે આમ કરવાથી મોક્ષ મળી જશે–એમ બતાવે. પણ જોખમદારી અને જવાબદારી તે તમારે જ માથે. સુર્ય ખાડાને ખાડા રૂપે, કાંકરા–કાંટાને તે રૂપે બતાવશે. ખાડામાં પડતાં સૂર્ય કોઈને હાથ પકડતું નથી. તેમ જૈનની માન્યતા પ્રમાણે પરમેશ્વર તીર્થકર દે, માત્ર ધર્મ બતાવે. રીખવદેવજીની પહેલાં હિંસા કરે તે પાપ થતું ન હતું એમ ન માનવું. તેઓ થયા પછી “પાપ લાગે તેમ નવું બતાવ્યું નથી; પણ હિંસાદિકથી પાપ લાગે તે વાત અનાદિથી છે, તેથી કોઈપણ વખતે પાપથી વિરમવાથી ધર્મ થાય છે. આ કરાય તેમાં પાપ, આ કરાય તેમાં ધર્મ થાય, એમ તીર્થંકરદેવે પ્રથમ બતાવ્યું. ધર્મ કયે રસ્તે થાય? તે દુનિયાને ખબર ન હતી. તે તીર્થકર દેએ બતાવ્યું. કાયદામાં તે “હું જાણતું ન હતું એમ કહી છૂટી જવાય છે. પણ તે ક્યારે? કાયદે પ્રસિદ્ધ ન કરાય છે. કાયદો કરનાર ખાત્રીવાળો છે, પાળનાર નહીં. જેટલી જગ્યા પર કાયદાની હકુમત ચાલવાની હોય, તેટલી જગ્યા પર તે કાયદે, ભરોસાવાળા માણસ પાસે જાહેર કરે, તે કાયદા પર ત્રણે જગતમાં રીખવદેવજી ભગવાનની છાપ લાગે. અજ્ઞાનીને અંગે કાયદાનું કંઈ નહીંને? જેની ઉપર કાયદાને અમલ કરવાનો છે તેની જાણ ન કરે અને સત્તાને અમલ કરે છે તેવી સત્તાને કેવી ગણવી ? પંખીમાં, જાનવરમાં એક જાતનાં પંખી વૈશાખ-જેઠમાં બોલે કે-ટકે વીવું, ટકે વીઘું. પરંતુ રાજા જાહેર કરે કે-ટકે વધું. તે
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy