________________
ભAS
૧૧. જૈન પર્વો અને તહેવારોની વિશિષ્ટતા :
[૮૧ બુદ્ધિ કઈ? અન્ય દર્શનીએ દેવ-ગુરુ-ધર્મને માને છે, તેમાં બુદ્ધિ કયી? “સુ” ની. સુગુરુપણાની કે સુધમપણાની બુદ્ધિએ માને છે. કુદેવને માનવા છતાં તેને સુદેવની બુદ્ધિએ જ માને છે. કુધર્મને પણ સુધર્મની બુદ્ધિએ માને છે. એક જ તે કારણ કયું ? મેક્ષનું વાહન.
આપણે મોક્ષે જવું છે એ ચેકસ-જૈન શૈવ-વૈષ્ણવ બધા મોક્ષને માને છે તેઓ પણ દેવને, ગુરુને, ધર્મને માને છે તે મોક્ષને માટે. મેક્ષની માન્યતા તે બધાએ માની–રાખી. તેણે કુદેવાદિને ભલે માન્યા પણ મેક્ષનાં સાધન તરીકે માન્યાં. અભવ્ય હોય તે મોક્ષને માનનારે હોય જ નહીં. નવતો જે તમારામાં છે, તે નવે તવેમાં આઠ તત્વે અભવ્ય માની શકે, પરંતુ તે વતત્વમાં પણ કયું તત્ત્વ અભવ્ય ન માને? મેક્ષતત્વ અભવ્ય માની શકે નહીં. આઠ ત તે દરેકને વિચારશ્રેણીમાં લાવવાં પડે.
ભવ્યપણુની છાપ કયારે ? હું” એ તે પ્રસિદ્ધ વસ્તુ છે. હું સુખી દુઃખી છું. “હું” શબ્દ કેઈને શીખવવું પડતું નથી. સર્વને પિતાના આત્માથી સિદ્ધ થયેલ છે. “હું” શબ્દ છે. અંદર હું કોઈ પદાર્થ છે, “હુને પદાર્થ સુખ દુઃખ વેદનારો જ્ઞાનવાળો છે એમ માની લીધું, પછી “જીવ એ શબ્દાંતર છે. પદાર્થ તે માનવું જ પડે. શરીર એ હું નહીં. “હું” અને “શરીર જુદાં છે. મારી જીભ, નાક, કાન, મારું મન એમ જણાય તેને ઈન્દ્રિય અને જીવ જૂદા દેખાય છે. એવી સમજથી “હું” શબ્દ વાપરે તે ઉપચાર કરીને ઊંડાણથી. “હું” એક જુદી વસ્તુ છે, એમ જાણીને “હું” શબ્દ વાપરે.
જીવ ને જડ બંને માન્યા પછી પોતે સુખી કે દુઃખી કેટલે વખત હય? હંમેશાં સુખી કે દુઃખી-દરેક હેય તેમ બનતું નથી. નારકીઓને પણ કલ્યાણક વખતે શાતા થાય છે. એકાંતે જગતમાં દુઃખી જ હોય તેવું બને નહીં. એકાંતે સુખી જ હોય તેમ બનતું નથી. કંઈક સારું છે. જેથી સુખી થઉં છું. કંઈક ખરાબ પણ છે કે જેથી દુઃખી થઉં છું. પછી પૂણ્ય કે પાપ કહો કે બીજા શબ્દો કહે. પણ