SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ જૈન દેવ અને જનેતર દેવ સભાને ખૂશ કરીને કહ્યું કે રાજાજી, હવે આ છેલ્લે વેશ છે. નહીંતર કાલે જઈશ, માટે આપવું હોય તો આપ. રાજાએ કહ્યું-ઊભું રહે. નેકરને કહ્યું કે-દશ હજાર રૂપિયા થાળમાં ભરીને લાવ. રાજા દશ હજાર રૂપિયા આપે છે. ઉં..હું” કરી બહુરૂપી ચાલ્યા ગયે વેશ પલટીને આવ્યું. હવે જે આપવું હોય તે આપ. રાજાએ કહ્યું: “તે વખતે કેમ ન લીધું.? તે સાધુના વેશમાં લઉં તો તે વેશ લજવાય. હવે જે દેવું હોય તે દે. પછી રાજાએ દાન આપ્યું. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી કહે છે કે જિનેશ્વર સિવાયના દેવ, નાટકીયા દેવ બનવાનું પણ શીખ્યા નથી. નાટકીયે દેવ બને તો દેવનું પૂરું સ્વરૂપ તે લે છે ! નામ તરીકે રામ-લક્ષમણ-સીતાની મૂત્તિ હોય, રાધા કૃષ્ણની મૂર્તિ હોય તો સંસારી સિવાય બીજું છે? દેવપણામાં સીતા-રાધાની મૂર્તિ જેડે રાખીને બેસે છે ? આરંભ પરિગ્રહમાં લીન રહે તે મેક્ષે જાય? ક્રોધાદિક, વિષયાદિકમાં ડૂબેલે મેક્ષે જાય તેમ કોઈ શાસ્ત્રકાર કહેતા નથી, “જો રામુમુક્ષુ: કહે છે. આત્માને વિચાર કરવાને અધિકારી કોણ? કેઈપણ મતવાળાએ-દર્શનવાળાએ એમ માન્યું નથી કે-ક્રોધાદિથી ભરેલે હવે તે આત્મવિચારણાને લાયક હોય. બધા દર્શનકારે એમ કહે છે કે દેવ શાંત, દાંત હોવા જોઈએ, દેવમાં કોધાદિક શાંત થયેલા હોવા જોઈએ એમ તેઓ કહે છે. એ સ્થિતિ વગર આત્માને વિચાર કરવાને ન હોય. ક્રોધાદિકે ભરેલા દેવ, ધર્મ શી રીતે કહી શકશે ? સન્માર્ગમાં પ્રવેશ કરવો હોય તેણે પ્રથમ શાંતિ રાખવી તથા ઈન્દ્રિયનું દમન કરવું જોઈએ અને ત્યાર પછી મોક્ષની જ અભિલાષા જોઈએ. દરેક ધર્મવાળા ધર્મિષ્ઠ માટે, સન્માર્ગ ઈચ્છનારાઓ માટે, આ ત્રણ વસ્તુ રાખવા માગે છે તે જોતાં મુમુક્ષુ: શાંત, ઈન્દ્રિયોનું દમન અને મેક્ષની જ અભિલાષા હોય. એ સિવાય માત્ર શાંતિની વાતોવાળે હોય તેને કે ગણવે? જે ઈન્દ્રિયને આધીન ન થયે હોય તે સન્માર્ગને લાયક ગણાય. મેક્ષ તરફ નજર નથી કરી તેવા માટે
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy