SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ હમ તત્વ પ્રકાશ સુધી ખારવેલ હયાત હતો ત્યાં સુધી પુષ્પદંત શાંત રહ્યો હતેા. પણ ખેદની વાત છે કે બત્રીશ વર્ષની ઉંમરે ખારવેલ સ્વગે સધાવી ગયો. ખારવેલ ચકવર્તીને પુત્ર પણ જૈનધર્મમાં માનનારો હતે પણ ખારવેલ જે સમર્થ નહોતે. કહેવાની મતલબ એ છે કે, ખારવેલ ચક્રવર્તી પરમ શ્રાવક હતા. શ્રમણ સંસ્કૃતિના ઉપાસક હતા, એટલે રાજસભાનું કામકાજ શરૂ કરતાં પહેલા તેઓ નવકાર મંત્રથી મંગળાચરણ કરતા હતા. આપણા ઈતિહાસ ઘણે ઉજળે છે. જેનોએ અને જૈન રાજા-મહારાજાઓએ કેઈનું પણ બુરુ કર્યું નથી. કેઈના ઉપર અન્યાય કર્યો નથી, કોઈના ઉપર અત્યાચાર ગુજાર્યો નથી. ન્યાયને નીતિ માટે તેમને યુદ્ધો ખેલ્યા છે. નિર્દોષ અને બીન ગુનેગાર માન જાય તેને રીતસર ખ્યાલ રાખવામાં આવતું હતું. ઘોડા ઉપર બેસતી વખતે પંજણીથી પૂજીને બેસતા હતા, અણ ગળ જળ વાપરતા નહેતા, વ્રતધારી હતા. વર્તમાન યુગના કેટલાક અજ્ઞાન લેકો આ વાતના રહસ્યને જાણ્યા વગર આવા મહાન અહિંસક અને નીતિમાન રાજાઓના માટે પણ યદ્રા તદ્વા બોલતા અચકાતા નથી, તેઓ કહે છે કે જેયું નાના છની રક્ષા કરતા હતા અને મોટા જીને યુદ્ધમાં હણતા હતા. પણ એ બિચારા અજ્ઞાન અને ભોળા માણસને ખબર નથી કે એ નાના છ બીન ગુનેગાર છે અને બીન ગુનેગારને જાણી બુઝીને મારવા નહિ એવી એમની પ્રતિજ્ઞા અને વ્રત હતી. જેથી વ્રતનું ખંડન ન થાય તે માટે તેઓ પૂજી પ્રમાઈને ઘોડા ઉપર બેસતા હતાં અને યુદ્ધમાં તે ગુનેગારની સામે લડવાનું છે, ત્યાં પણ તેઓ નીતિનું ઉલ્લંઘન નહેતાં કરતાં,
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy