SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ધર્મ તત્વ પ્રકાશ દંભ કરવામાં, કપટ કેળવવામાં અને ઠગાઈ કે છેતરપીંડી કરવામાં પિતાને બાહોશ માનીએ છીએ અને બહાદુરી બકીએ છીએ અને ઉપરથી બેલીએ છીએ કે પેલાને કે બનાવ્યા, કે સીસામાં ઉતાર્યો, ધોળે દહાડે એની આંખમાં ધૂળ નાંખી કામ કાઢી લીધું. આ રીતે બેલતો જાય અને મૂછ ઉપર વળ ચઢાવતે જાય, જેમ વધારે સુખ અને સમૃદ્ધિ મળે તેમ પાપ વધારવાના અનેક સાધનો વધારીએ, દુરાચારના માર્ગો ખૂલ્લા મૂકીએ, દેવ, ગુરુ અને ધર્મને ભૂલી જઈએ એટલુ જ નહિ પણ વખત આવે બેવફા બનીએ, ઉપકારી ઉપર પણ અપકાર કરતા વાર નહિ. ક્યાં આપણી દશા? અને કયાં શ્રી પાળજીની યોગ્યતા! યોગ્ય અને અાગ્યમાં આસમાન પાતાળ જેટલું અંતર હોય છે. એ મહાપુરુષોમાં અપૂર્વ રેગ્યતા હતી. અપૂર્વ ઉત્તમતા અને અને ખી સજજનતા હતી. જ્યારે આપણમાં ભારોભાર અયોગ્યતા ભરી છે. પછી શ્રી સિદ્ધચકજીની આરાધના અને મહામંત્ર નવકાર આપણને શી રીતે ફળે? શ્રી જિનેશ્વર દેવે પ્રરૂપેલે-કથન કરેલ ધર્મ જગતમાં અજોડ છે, અલૌકિક છે અને અસાધારણ છે. જિનેશ્વર દેવે કથન કરેલા ધર્મની સરખામણીમાં અન્ય કોઈ ધર્મ આવી શકે તેમ નથી. જેમ ગળ અને ખળમાં, સુવણ અને પિત્તળમા મહાન અંતર છે તેમ અન્ય હિંસાદિકથી ભરેલા ઘમનાં અને સર્વ જીવોની રક્ષાનો ઉપદેશ આપનારા જૈન ધર્મમાં પણ ઘણું મોટું અંતર છે. ધર્મની આરાધના આત્માને ધીરે ધીરે મુક્તિ ભણી લઈ જાય છે. મહાન ફળ આપનાર આ ધર્મ શું અનીતિઓરોને
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy