SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને જ્ઞાનદાન ૨૯ ज्ञानदानेन जानाति जंतुः स्वस्य हिताहितम् । वेति जीवादि तत्वानि, विरति च समश्नुते || ~~~~ જ્ઞાનદાનની વિશિષ્ટતા ! ધર્મના ચાર ભેદ કહ્યા છેઃ ૧. દાન, ૨ શીલ, ૩ તપ, ૪ ભાવ. દેવુ' તે દાન એમ જગતમાં પ્રસિદ્ધ છે, પણ શાસ્ત્રકાર ત્યાં ના' કહે. છે. કાઈને ઝેર દેવાય તે તે ધર્મ નથી. ગાય પાટુ (લાત) દે (મારે) ત્યાં ધર્મ કહેવાય ? જ્ઞાનદાન, અભયદાન તથા ધર્મપગ્રહદાન એ ત્રણેનુ દાન તે જ દાનધમ છે. તેમાં અભયદાન તા માત્ર મુદ્દત અપાવે છે. પણ માફી નથી અપાવતું. જેને અભયદાન અપાયુ' તેને અમરપટે નથી મળતા. માત જલદી થતું હતું તે વખતે તેને બચાવ્યા, પણુ સથા બચાવ અભયદાનથી થતા નથી. જ્ઞાનદાન સ`થા માફી કરાવે છે. અભયદાન કર્મ તાડાવતું નથી. જ્ઞાન તેનાં કમ તાડાવે. છે. યાવતુ મેાક્ષ મેળવાવી અમરપટા જ્ઞાન જ અપાવે છે. પચે દ્રિયમાં દેવતા ચ્યવી (મરી) દેવતા થતા નથી. નારકી આપણા મારવાના વિષયમાં નથી. એટલે મનુષ્ય અને તિય``ચ માટે મુખ્ય પ્રવૃત્તિ એ અભયદાન છે. અભયદાન સારૂ તે શતાવેદનીયનું કારણ છે, છતાં જેને અભય આપવામાં આવે છે તેને અમરપટ મળતા નથી. જ્ઞાનદાનમાં અમરપટા અપાવવાનુ સામર્થ્ય છે. પરતુ જ્ઞાન એ નાગી શમશેર છે. વાપરનાર વિવેકી હાય, ખાહેાશ હોય તા શત્રુને સહારે પણ જો તે દારૂડિયા હોય. તા મિત્રને, શત્રુને અને પેાતાને પણ કાપે ? સોનેરી ટોળીવાળા જુગારીઓ મૂર્ખા હોતા નથી. તેએ મેજિસ્ટ્રેટનાં મગજ ખાઈ જાય. છે. તેમનામાં તેવુ' અન કારક પણ જ્ઞાન છે તથા જેઓ ધના રસ્તે જોડાય છે તે પણ જ્ઞાનથી જ જોડી શકાય છે. કથા જ્ઞાનદાનને ધરૂપ કહેવાય ? કૂતરી પણ પોતાનાં બચ્ચાંને તેના ખપનું જ્ઞાન આપે છે. વાઘરી, કાળી, જુગારી અને ચાર પણ પેાતાની કળા પેાતાના વારસાને શીખવે છે, તે શુ તેમને આપણે જ્ઞાનદાન આપનારા કહેવા ? દુનિયાદારીના નિર્વાહ માટે, અને વિષય-કષાયની
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy