SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને જ્ઞાનધર્મ iiiiiiiiiiiiuuuuuuuuuuuuuuuuuuuuuuNIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII દુર્ગતિનું વારણ કરે અને સદ્ગતિમાં ધારણ કરે તે ધર્મ. આ ધર્મ દુર્ગતિમાં પડી ગયેલા માટે નકામો છે, પણ દુર્ગતિમાં પડવા માંડેલાને જ ધર્મ પકડી રાખે છે. જે ધર્મ ન પકડી રાખે તે જીવ ઠેઠ નીચે જાય. ધર્મ કરવામાં મહેનત પડે છે અને અધર્મ વગર પરિશ્રમે થાય છે. આ ધર્મ દાન, શિયળ, તપ અને ભાવ ચાર પ્રકારે છે. જ્ઞાનદાન, એ અભયદાન અને ધર્મોપહદાન કરતાં ઉત્તમ છે. અભયદાન મુદત અપાવે છે. જ્ઞાનદાન સર્વથા માફી અપાવે છે. જ્ઞાન એ નાગી સમશેર છે. નાગી સમશેર વાપરતાં આવડે તે બચાવ કરે. નહિતર પિતાને પણ વગાડી બેસે. જણાવવું માત્ર જ જ્ઞાનદાન નથી. દુનિયાદારીના નિર્વાહનું જ્ઞાન જ્ઞાનદાન નથી. જેનાથી વાદિ તો સમજાય, સમ્યક્ત્વ મળે, કષાય પાતળા થાય તે જ્ઞાનદાન છે. દુનિયાના પદાર્થો ભાડૂતી ઘર જેવા છે, તેમ શરીર પણ ભાડૂતી ઘર જેવું છે. આપણે શરીરના અધિકારી છીએ. અધિકાર વખતે માણસ ભલું ન કરે તે અધિકાર ગયા પછી તેને ધિક્કાર જ મળે છે. શરીરને પોષવા આહાર, વિષય, સાધનો માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેને જોખમદાર આત્મા છે. આ બધી શરીર માટેની લેને છે. પણ લાન પાછળની સદ્ધરતા તે આત્માની છે. શરીર એ તે ગંદકીને પટારે છે પણ મોક્ષમાર્ગમાં મદદગાર છે તેથી તેની ઉત્તમતા છે. ગંદા શરીરની આમ તો ફૂટી બદામની કિંમત નથી પણ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની સિદ્ધિના સાધન તરીકે શરીર અતિ કિંમતી છે. આ શરીર માટે આત્માને કી રાજપ મારવાડી શરાફ બાપ મુઆના વાવેદે ધીરે જાય છે. અને સેંકડેગણું વસુલ કરે છે. એક પણ કરેલ નાની ભૂલને સેંકડો ગણો બદલો લે છે. બાહ્મી અને સુંદરીના આગળના ભવેના જીવ પીઠ અને મહાપીઠે અંતમૂદ ઈર્ષ્યા કરી તેના પરિણામે તેમને મિથ્યાત્વ ગુણકાણે લાવી મૂક્યા અને સ્ત્રીવેદ બંધાવ્યો. - જ્ઞાનદાનને ઉદ્યમ કરનારા આ ભવ–પરભવમાં સુખ મેળવી કલ્યાણ સાધે છે. Triniiiiiiiii IIIIIIII
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy