SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ - આનંદ પ્રવચન દર્શન શકને લીધે કે દુન્યવી દુઃખના લીધે, ઘરમાં વહુ, બેટી કે બહેન રડેલી હોય તેથી જમણમાં ન જવાય તથા આનંદ પ્રસંગમાં ભાગ ન લેવાય, આ તમામ દુઃખગર્ભિત વૈરાગ્યમાં સમાય છે. શેકના કારણે સાંસારિક પદાર્થો પરથી રાગ ન ઊઠયા છતાં વ્યવહારથી પ્રવૃત્તિની ઈચ્છા ઊઠી જવી, વિષય પરથી મન હઠી જવું તે દુખગર્ભિત વૈરાગ્ય. શાકને લીધે રાતદિવસ ઉચાટ રહે, વિખવાદ માટે જ નહીં, શેકનું પ્રમાણ એટલું બધું વધી જાય કે આત્મહત્યા પણ કરી નાંખે આટલી હદે શોકનાં કારણેથી સંસારના પદાર્થોથી મન પાછું હઠી જાય તેનું નામ દુઃખગર્ભિત વૈરાગ્ય ! દુનિયા મેહગર્ભિત વૈરાગ્ય કોને કહે છે? બાપની પછી છોકરે કે છોકરા પછી બાપ દિક્ષા લે ત્યારે જગત તેને મેહગર્ભિત વૈરાગ્ય કહી દે છે! જેને શ્રીજિનેશ્વવનાં વચને ધ્યાનમાં ન હોય તે જ આવું બોલે. સંસારમાં ચારે ગતિમાં હેરાન પરેશાન થવું પડે છે એવો ખ્યાલ ન હોય, કર્મક્ષય કરી શાશ્વત્ સુખ મેળવવા માટે મેક્ષે જવું જોઈએ, એ વિચાર ન હોય. માત્ર લીલાને માનનાર, લીલાવાલા દેવગુરૂને માનનારા મિથ્યાત્વીએ અને પંચાગ્નિ તપ કરનારાઓને વૈરાગ્ય તે મહગર્ભિત વૈરાગ્ય છે. બાહુબળજીએ દીક્ષા લીધી, વડાઈમાં ન આતાવાના કારણે કે? શું તે દુઃખગર્ભિત? સાઠ હજાર પુત્રો મરી ગયાથી સગરચકવર્તીએ દીક્ષા લીધી તે માટે શું કેહગર્ભિત રાગરહિતપણું તે વૈરાગ્ય છે. સાંસારિક દુઃખને લીધે સાંસારિક વિષયે કે પદાર્થો ઉપરથી મન ન હડી જાય પણ દુષ્ટ દુખેથી હેરાન થતે રોકાય તે દુઃખગર્ભિત વૈરાગ્ય તથા મિથ્યાત્વ વાસિત એવાને જે વૈરાગ્ય તે મેહગર્ભિત વૈરાગ્ય છે.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy