SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર એટલે દરબારી જમીન ૫૧ ચાર વિઘા લે કે ચૌદ વીઘા લે પણ હદ છેડીને એક ગાઉ જાય, તે મૂળ જમીન સાથે લેવા દેવા નહિ, ચાર હાથ પગ નહિ. જ્યાં સુધી અહીં રહે ત્યાં સુધી કૂદાકૂદ કરી લે પણ ત્યાંથી નીકળ્યા પછી કંઈ ન વળે. તે અહીં ને અહીં ઉજજડ વેરાન પડી રહે એ કબૂલ પણ રાવળી જમીન બહાર જાય, અને એને ન મળે. અહીંના હોય તેને જ મળે. તેમ શરીરમાંથી નીકળ્યા પછી, રાખડા થાય, તેને કૂતરા ખાય, શિયાળ ખાય પણ ત્યાં તમારે હકક નહીં. આને અંગે જાણીએ છીએ કે આ શરતી છે, શરત વગરનું નથી. આગાઢ નથી કે જ્યાં રહે ત્યાં પણ માલિકી જાય. શરીર આગાઢ નથી. આવી જમીનમાં આપણે રહીએ છીએ અને રહ્યા છતાં રાવળની સ્થિતિ તપાસતા નથી. રાયના કયાં ખરચાય? આગાઢ જમીન ઉપર બેરડું હોય ત્યાં. એટલે રાવળી જગા ઉપર રાયળા ન ખરચાય. શરીરરૂપ જગ્યા તીર્થ કરે અને ગણધરાદિને પણ આગાઢ વેચાણ નથી મળી તે પછી તું કઈ સ્થિતિને કે તને આગાઢ મળવાની? કેઈને મળી નથી, મળતી નથી ને મળશે પણ નહીં. પછી ત્યાં હેરાનગતિ માટે તેટલા જ રાયના ખરચાય. રહીએ ત્યારે માનથી રહીએ. ખરચતાં વિચાર કરવો પડે તે જ વાત. અહીં આ રાવળી જમીન, તેને અંગે પુણ્ય ખરચે પણ પુણ્ય ભેગવીએ તે વખતે વિચાર કરે કે શું કરીએ છીએ ? પાપ બાંધે ત્યારે વિચારી લે કે શું થશે? જન્મથી મરણ સુધી દરેક ક્ષણે બાંધેલી પુણ્યપ્રકૃતિ તેડીએ છીએ. રાવળી જમીન માટે રાયના ખરચાય તે વિચારો છે ? ને તેમાં દેવું એ તે ગાંડે જ કરે? કઈ ત્યાં રડું બાંધી દે, નહિતર બધું ખલાસ. બીજી જગ્યામાં જવાય, દેવાં કરાય પણ અહીં ન પાલવે, આ રાવળી જમીનમાં રાચી પુણ્યરૂપી રાયળ ખરચે અને પાપનું દેવું કરે છે. આવું કર્યા છતાં મનમાં શું હોય કે આવતી ગતિમાં દુખ ન મળો. સુખ કોઈ કાળે ખસે નહિ. આમ જીવ ઈચ્છે સુખ દુઃખ વગરનું અને કઈ દિવસ ખસે નહિ તેવું
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy