SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ મુનિ અહિંસક કે અકિંચન? જ્ઞાની કોને કહીએ? અંતરાત્માને. બહિરાત્માને જ્ઞાની નથી કહેતા. જ્યારે પોતે અંતરાત્મા છે તે શરીરના નુકસાનથી એને શું ! એને તે શરીર બેડી રૂ૫ છે. બેડી નબળી પડે તે અંતરાત્મા આનંદ માને. બનવું છે જ્ઞાની. અને તપસ્યાથી ત્રાસ પામ છે! અંતરાત્માને આ વિચાર–નિશ્ચય. હોવું જોઈએ, કે આહાર છેડીશ ત્યારે જ મેક્ષ મળવાને છે. વાત ધ્યાનમાં લઈશું તો માલુમ પડશે કે, આત્મા આજ સુધી ૨ખડો કેમ ? તે તેને હંમેશાં ખાવું ખાવું ને ખાવું તેથી તેરખડો. પંખીને સ્વભાવ રાતે ખાવાનું નથી. રાત્રે પિતાના માળામાં સ્થિર રહે છે. રાત્રે ચરવા નીકળે તે હેર, રાત્રે ખાનારને જગતમાં પંખીની ઉપમા નથી દેવાતી. ઢોરની ઉપમા કોને દેવાય? દહાડે કે રાત્રિના ખાવાને જ વિચાર હોય તેને ઢાર કહેવાય છે, સમજુ હોય તે રાતના ન. ખાય. પણ જીવ તે આ દિવસ ને રાત ખાઉં ખાઉં કરી રહે છે.. જેમ આ જન્મમાં છે, તેમ અનંતા જન્મમાં આની આ જ દશા છે. ખાવું, શરીર ધરવું અને શરીર છોડવું. દરેક ભવની વાત વિચારો. આહારને વિચાર આ જીવને હંમેશન છે. ફક્ત એકલા એકેન્દ્રિયપણામાં નથી, પણ દરેક ભવમાં આહારનો વિચાર છે. યાવત્ સંજ્ઞી પંચેન્દ્રિયમાં પાંચે ઈન્દ્રિયેના વિકારે આહાર સંજ્ઞાના પરિણામે આપણને વળગ્યા. સંજ્ઞી પંચેન્દ્રિયમાં એનું સાધક કુટુંબ વળગ્યું.. ગાય ને વાછરડાના સંકઃ વિચારે. જાનવરોને પણ કુટુંબ પર બહુ પ્રેમ હોય છે. બચ્ચાના મોહને લીધે નવી વીયાણી ગાય મારકણું. કૂદ છે, હરિણી પણ વાઘની સામે થાય છે. આ બધું બચ્ચાના સ્નેહને લીધે બને છે. બચ્ચા પણ માને લીધે દોડે છે, એ શાને લીધે ? કુટુંબના મેહને લીધે તે દોડે છે. કુટુંબપણાના સંકલ્પમાં તિર્યચપણું ભેગવીએ છીએ. વિવેકરહિતપણાથી બાળકને ધવડાવ્યું, પાળ્યું, બચ્ચાને બચાવવા ખાતર લાકડીઓ ખાધી પણ તેનું ફળ શું? કૂતરી બચ્ચાને પાળે તેથી કૂતરીને લાભ શું ? આ વિચાર કોને
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy