SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મકલ્યાણક કા ============ ============= [ જન્મકલ્યાણકને દિવસે દાન, તપ વગેરે કરવાં જોઈએ. કાલે કરેલા વસ્તુ જ ફળદાયક નીવડે છે. જિનેશ્વર ભગવાન પોતે જિન છે અને આપણને જિન બનાવે છે. બીજા દેવ પિતાની જ મહત્વતા સૂચવે છે. આપણે ભગવાન મહાવીર કે ઋષભદેવને પૂજીએ છીએ તે જિનપણને લઈને પૂજીએ છીએ. જિનની પાછળ જૈન ધર્મને ઇતિહાસ છે.] કલ્યાણકને દિવસે તપ, જપ, દાન કરવું જોઈએ. મહાનુભાવો ! આજને પવિત્ર દિવસ ભગવાન મહાવીર મહારાજના કલ્યાણકને છે. ૩૬૦ દિવસ સૂર્યોદય થાય છે. દિવસમાત્રને પવિત્ર ગણે કે અપવિત્ર પણ તેને ઉદય તે હોય છે. આજના દિવસને પવિત્ર શાથી? ભગવાન મહાવીરના જન્મને આ દિવસ છે, તેથી તેને પવિત્ર ગણવામાં આવે છે. જેમના જન્મકલ્યાણકને દિવસ, હજારો વર્ષ ગયા છતાં મનાઈ રહ્યો છે. આ જગતમાં સારૂં સર્વને ગમ્યું છે. આ સિદ્ધાંત નિરાબાધ છે. એ સિદ્ધાંતમાં અપવાદને સ્થાન નથી. સારૂં સર્વેને ગમે તે પછી જન્મને લીધે હજાર વર્ષો ગયાં, છતાં જન્મ દિવસની પવિત્રતા ચાલી છે અને ચાલશે. વિચાર કરો કે આની પવિત્રતા કેટલી ? ભગવાન હરિભદ્રસૂરિને જણાવવું પડ્યું કે “જિનેશ્વરના પાંચે કલ્યાણકેને દિવસે દાન, તપસ્યા, અમારિ પડો ન કરે તે તે તરવાને લાયક બનતું નથી. જે મનુષ્ય મહાવીર સ્વામીના કલ્યાણકના દિવસે દાન વગેરે ન કરે અને બીજા દહાડે કરે છે તે કલ્યાણ પામે નહીં” હરિભદ્રસૂરિ આ એક પક્ષે બોલી રહ્યા છે તેમ ન માનશે. રથજાત્રા કરે તે ભક્તિ, તપસ્યા કરે તે આત્માની નિર્મળતા છે. દાન કરે છે તે આત્માની ઉદારતા, અમારિ પડહોમાં જીવોનું રક્ષણ છે તેમ
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy