SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરાત્મા ப்யய்யய்யய் #IIIIIIIII IIIIIIIIIIIIIIIIIIII [પ્રાણી માત્રને અનેક અભિરુચિઓ હેય છે, છતાં તે બધાના મૂળમાં સુખની અભિરુચિ હોય છે, આ સુખ મેળવવા આવે અનાદિકાળથી મહેનત કરી છતાં સુખ મળવું નહિ તેનું કારણ સુખનાં વાસ્તવિક કારણોની પાછળ તેણે પ્રયત્ન કર્યો નથી. જીવે અનાદિકાળથી પ્રયત્ન કર્યો પણ તે પ્રયત્ન પુદ્ગલ સુખ માટે કર્યો છે. પુલ સુખ માટે કરેલા પ્રયત્ન આત્મિક સુખ કઈ રીતે આપે ? પુલ સુખ માટે પ્રયત્ન તે બહિરાતમ છે. જે જીવ પગલે એ જ પંડ માને અને તેના આધારે પ્રવૃત્તિ નિવૃત્તિ કરે તે અંતરાત્મા જે જીવ પુદ્દગલ અને આત્માને ભિન્ન માને અને આત્માના સુખ માટે સર્વ ભગવંતના વચન પ્રમાણે પ્રવૃત્તિ નિવૃત્તિ કરે તે અંતરાત્મા અને આ અંતરાત્મભાવ કેળવી ભવ્ય જીવ કલ્યાણ પામે છે.]. uuuuuuuuu જીવ માત્રની ઈચ્છા સુખ મેળવવાની છે. આ સંસારનાં જીવોની ધારણાઓ ભિન્ન ભિન્ન હોય છે, દરેક જીવની રુચિ-વૃત્તિ જુદી હોય છે, તેથી કહેવાય છે કે મુજે મુજે મતિર્મિો ! જેટલા જીવ એટલી અભિરુચિ એટલા મતભેદો. જીવોમાં આ સ્થિતિ છે. તેમાં મનુષ્યમાં વિશેષતા એ પરિસ્થિતિ છે. આટલું છતાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. નોંધવા જેવી છે કે જેમ વૃક્ષને પાંદડાં, શાખાઓ, ડાળીઓ તમામ અનેક પ્રકારે ભિન્ન ભિન્ન છે છતાં એ તમામનું મૂળ એક જ છે તેમ ભિન્ન ભિન્ન અભિરુચિઓનું પણ મૂળ તે એક જ છે, એ મૂળ કયું? સુખની ઇચ્છા અને દુઃખ પર દ્વેષ, અનિચ્છા. જ જીવમાત્રની ઈચ્છા સુખ મેળવવાની છે નારકીને જીવ હોય, દેવતાનો જીવ હોય, (નારકી હોય કે દેવતા હોય) એકેન્દ્રિયને જીવ - ૨૭
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy