SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ * આનંદ પ્રવચન દાન. જૂરી છે તે સાબિત કરવાની હવે આજે કાંઈ જરૂર નથી રહી. આજે અ!ખા જગતે એ વાત માન્ય રાખી છે કે શબ્દ એ ગુણુ નથી પશુ શબ્દ એ પદાર્થ છે અને તે જ પ્રમાણે એ વાત પશુ સિદ્ધ થઇ સૂકી છે અને તે જગતે સ્વીકારી લીધી છે કે પાણી એ સ્વતંત્ર તત્ત્વ નથી અને પાણીના સૂક્ષ્મ પરમાણુ પણ થઈ શકત્તા જ નથી પરંતુ પાણી એ બે પદાર્થનું રાસાયણિક કુદરતી રીતે જ થયેલુ સયાજન છે. છ કાચની સમજગ્. હવે કદાચ કોઇ એવી શકા કરશે કે આપણે છ કાય જીવા બતાવ્યા છે, તેમાં અકાય જીવે તે! જુદા જ બતાવ્યા છે ને? આ શંકાને જરૂર સ્થાન છે એ શંક! સમજતાં પહેલાં અપ્કાય, પણ વાઉકાય, તેઉકાય, ઇત્યાદિ જીવા એટલે શું તે સમજવાની ખાસ જરૂર છે. જેની પૃથ્વી એ જ કાયા છે એવા જીવાને આપણે પૃથ્વીકાય જીવા કહીએ છીએ. પાણી એ જ જે જીવાની કાયા છે તે જીવા પાણીકાય જીવ કહેવાય છે. વાચુ જ જેની કાય! છે તેને વાયુકાય વા કહે છે, વનસ્પતિ એ જ જેની કાયા છે તે જીવને વનસ્પતિ કાય કહે છે, જૈનશાસને કાયાને અંગે જે ભેદો પાડેલા છે તે ભે તેમાં ઉત્પન્ન થયેલા જીવાને અગે છે, એમની કાયા તરીકેના ભે પરમાણુ તરીકે પાડયા છે એમ કોઈ એ સમજવાનું નથી. આ માનવકેંહતું. પૃથક્કરણ કરશે તે તમેને તરત જ જણાઇ આવશે કે દેહમાં પાણી, પૃથ્વી, વનસ્પતિ, તેજ અને વાયુ એ બધાને સચેગ છે. માનવદેહ પવન, પાણી, પૃથ્વી બધાના પરમાણુઓથી પરણમ્યા છે, પણ તે પરિણમવનારે માજીસ છે. આથી જ એ દેહને માનવદેહ નામ આપેલ છે. મનુષ્યના દેહમાં પૃથ્વી, પાણી, વાયુ એ સઘળાના યાગ છે. પરંતુ તેથી તે માનવદેહને આપણે પૃથ્વીકાય યા તે વનસ્પતિકાય કહી શકતા નથી, કારણ એ છે કે મ!નવદેહમાં સ્ત્રીજા બધા અંશેને લે!પ કરીને આત્માએ તેને નવા સ્વરૂપમાં પરિણમવી છે. માટે જ એ દેહને માનવદેહ કહેવાય છે. આત્માએ વનસ્પતિકાય ઇત્યાદિને પલટાવી નાખ્યા અને તેને નવા સ્વરૂપમાં પિરમાવેલ છે
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy