SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મલાભ કર ટ્રસ્ટડીડમાં જે રકમ જે રૂપે લખાઈ હોય તેમાં ફેરફાર કરવાની લેશમાત્ર પણ ટ્રસ્ટીઓને સત્તા નથી. ટ્રસ્ટીઓ માત્ર ટ્રસ્ટડીડમાં લખ્યા છે મુજબ વહીવટ કરી શકે છે, તેમ મુનિરાજ વહરતાં “ધર્મલાભ” બોલીને વહેરે છે. આથી વહેરેલ તે વસ્તુ તેને કેાઈને આપવાનો અધિકાર નથી. સાધુની ગોચરી એ માધુકરીવૃત્તિ છે. તેને મહિમા અપૂર્વ છે. મુનિઓ ! I માધુકરીવૃત્તિવાળા છે. ત્યાગ જ ધર્મ છે અને તેથી જ કલ્યાણ છે. એવું સ્પષ્ટપણે કહેનાર I ઈ હોય તે ગુરુ મહારાજે જ છે. ટ્રસ્ટડીડની રકમને બીજી રીતે ઉપગ ન થાય. જે ધર્મમાર્ગે ચાલે છે તેવા ગુરૂને ગુરૂ માનવામાં આવે છે. અધમેં પ્રવર્તનારને ગુરૂ તરીકે માનવામાં આવતા નથી. કેમ કે महाव्रतधराधीरा, भैक्ष्यमात्रोपजीविनः જેઓ મહાવ્રતને ધારણ કરનારા હોય, એ મહાવ્રતના પાલનમાં ધીર હેય, ભિક્ષામાત્રના વ્યવહારથી જીવનનિર્વાહ કરતા હોય અને સદૈવ સામાયિકમાં શિસ્ત હોય, અને ધર્મનો જ માત્ર ઉપદેશ કરનારા હોય, એમને જ ગુરૂ તરીકે ગણવામાં આવ્યા છે. પંચમહાગ્રત ધર્મ છે, માટે જ ગુરૂનું માહાભ્ય છે. ધર્ય સમ્યકત્વને અંગે આવશ્યક છે. શુદ્ધબુદ્ધિ કિંમતી ત્યારે જ ગણાય કે જ્યારે સમ્યફવ તથા ધર્મની કિંમત હોય. આ બે વસ્તુની કિંમત ન હોય તે ગુરૂની પણ કિંમત શી છે ? તેવી રીતે ગુરુ જીવનનિર્વાહ પણ ભિક્ષા માત્રથી જ કરે છે. જનાવરો કે પંખીઓ ખાવા માટે શું સંચય કરે છે કે રાખે છે? નહીં કુવરંવા સાધુનું ભાતું કેવળ કયાં? તે હેય કુખમાં ! અર્થાત્ અસંનિધિ તો જનાવરમાં છે પણ નિર્દોષ ભિક્ષાનું ઉપજીવન
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy