SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ શાશ્ત્રચક્ષુ કેટલાક દેશમાં કામ વખતે મજૂરોને ખેલાવવામાં આવે છે અને કામ પત્યા પછી તગડી મૂકે છે, તેમ કરાજા આત્મા પાસે મજૂરનું કામ કરાવે છે. આહારાદિ મેળવવામાં, તૈયાર કરવામાં હિસ્સા જીવને છતાં કર્મરાજા જીવને તગડી મૂકે છે. કર્મ એક જાતના ચ'ડાળ તરીકેનું કામ કરે છે. હીરા-મેાતી તૈયાર કર્યાં, મેળવ્યાં પણ મૂકીને મરી ગયા એટલે શું? દરેક ભવમાં ભેગુ કરવાનું ? મજૂરપણું કરી કરીને આત્માને ચાલી નીકળવાનુ જ ને ? એક પણ ભવ મજૂરપણું કર્યા સિવાયના ગયા છે ? દુનિયામાં મજૂરના પ્રશ્નમાં તે એક બે સંસ્થાનાની વાત હાય, પણ અહીં તા ભવાભવની આ સ્થિતિ છે. આફ્રિકાના મજૂરા જેવી દશા છે, ત્યાં વસ્તુ તૈયાર થયા પછી મજૂરીને કાઢી મુકાય છે તેમ અહીં જીવને કાઢી મુકાય છે. દેખતાં છતાં આંધળા. દુનિયાદારીમાં એક વખત ધપ્પા ખાઓ તેા ખીજી વખત અક્કલ આવે મીજી વખત ધા ખાઓ તા ત્રીજી વખત અક્કલ આવે. પણ અહીં તા અનતી વખત ધપ્પા ખાવા છતાં તમાને અક્કલ કેમ નથી આવતી ? આપણું કાળજી કયાં ? પેલા મગરને તા વાંદરાએ કાળનું ઝાડે સૂકવ્યુ છે એમ કહીને છેતર્યાં હતેા, વાંદરા ઝાડે ચઢી ગયા અને મગર વલખાં મારવા લાગ્યા. વાંદરાનું કાળજી ઠેકાણે હતુ. તેથી તે ખચી ગયા, ઝાડે કાળજી સૂકવ્યાની વાત બનાવટી હતી. તે વિચારવા મગરને કાળજીં નહાતુ માટે તે બની ગયા. આપણે કર્માંની મજૂરી ભવાભવ કરી પશુ કાળજા વગરના હાવાથી ફરી ફરી મજૂરી કરવા તૈયાર થઈ એ છીએ. : આપણું કાળજું શાથી ખવાઈ ગયું છે ? વિષયની આસક્તિ, કષાયના વેગે, આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ...આ ચારથી આપણુ કાળજું ખવાઈ ગયુ છે. કર્મની મજૂરી કરીએ એમ માલુમ પડે, છતાં એના એ જ, કારણ કે આંખ ખેાલી નથી. જે આંખ ખાલે નહીં' તેને માટે મધ્યાહ્ન તથા અધારી રાત એ એમાં કશેા ફેર નથી. અહીં પણ જેને આ સ્થિતિ જોવાને ચક્ષુ નથી, તેઆને ભવભવ ૨૫
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy