SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ આજનુ પરુ· ચારિત્રપાલન ૩૭૭ ચારી કરવાની નહી, વિષયસેવન જ સંસારમાં રખડાવનાર છે તેથી તેના ત્યાગ કરવા. પણ આ બધુ... દીક્ષાથી જ સુસાધ્ય છે, માટે સયમ ગ્રહણ કર !” ખેડૂતે વિચાયુ ́: એહે!! આ તે સારું! પેટ પણ ભરાય અને પાપ પણ ન બંધાય ! '” તેના આત્મામાં ઝણઝણાટી આવી. રોમાંચ ઊભાં થયાં. અપૂર્વ આનંદ તેણે અનુભવ્યા અને પછી હાથ જોડીને શ્રી ગૌતમસ્વામીજીને વિનંતી કરી કે “ભગવાન્ ! જો એમ જ છે તા મને દીક્ષા આપીને તારા !” શ્રી ગૌતમસ્વામીજીએ ત્યાં તેને સંયમ આપ્યું ! પછી શ્રી ગૌતમસ્વામીએ ખેડૂતને કહ્યું કે ચાલ, હવે મારા ગુરુને વંદન કરવા !” ખેડૂત તેા આભા બની ગયા! આશ્ચર્યમાં ગરક થઈ ગયા ! તેને એમ થયું કે ‘આવા મહાન્ આચાર્ય મહાત્માના પણ ગુરુ ! અહા! તે કેવાય હશે !' તે ખાલી ઊઠયે!: ‘ચાલેા ભગવાન્ !' પછી ગુરુ શિષ્ય ખ'ને ભગવાન્ની પાસે આવી રહ્યા છે. માર્ગોમાં શ્રી ગૌતમસ્વામીજી મહારાજા ભગવાન શ્રી મહાવીર દેવ કેવા છે તેનું વર્ણન કરે છે. તેવામાં સમવસરણુ આવ્યુ', શ્રી ગૌતમસ્વામીજીએ ખેડૂતને ભગવાન્ બતાવ્યા કે ‘આ આપણા ગુરુદેવ !’ ભગવાને જોતાં જ ખેડૂતને પૂર્વભવને દ્વેષ ઉયમાં આવ્યા-ઉછન્યા અને તે તરત એમ ખેલ્યા કે આ જ્યારે તમારા ગુરુદેવ ! ત્યારે આ તમારું સાધુપણું પાછું લ્યેા !' એમ કહી સાધુવેષ પડતા મૂકીને તે ચાલ્યા ગયા. ખેડૂત ખેતરમાંથી સમવસરણમાં આબ્યા તેટલી વાર તેણે સાધુપણું ધારણ કર્યુ. શ્રી ગૌતમસ્વામીજી ચાર જ્ઞાનના માલિક હતા. વળી તેમને ખેડૂતને દીક્ષા દેવા પણ સ્વયં ભગવાને માકલ્યા હતા. ખેડૂતને ખેાધિખીજ પમાડવું હતું. કલ્યાણની બુદ્ધિવાળું ચારિત્ર આખા ભવચક્રમાં આઠ વખત આવે છે. તે માટે ખેડૂતને ચારિત્ર આપ્યું. સમ્યક્ત્વમાં આઠ ભવના નિયમ નહીં. ક્ષાયેાપશિમક સમ્યક્ત્વના અસંખ્યાતા ભવા થાય. કલ્યાણની બુદ્ધિ વિનાના મેરૂ જેટલા આધા મુહપત્તિ કર્યા છતાં
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy