SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ - આનંદ પ્રવચન દર્શન રૂપી છે.” રૂપીની તે પૂરી તપાસ કરી લે. આંતરડાં કયાં છે? ક્યાં સડ્યાં છે, તે તે લગીર તપાસ? આ ચામડાની ઝૂંપડી માટે સર્જને જોઈએ તો પછી અરૂપી, અવ્યાબાધ એ જે આત્મા તેની સ્થિતિ - જાણવા માટે હું જાણું એ જ ધર્મ, એ કઈ સ્થિતિ સમજવી ? પાપ શી ચીજ છે? પાપથી નિવૃત્ત કેમ થવાય છે? તેનાથી શું ફળ થાય છે? તેની ખબર જિનેશ્વરનાં રચેલાં શાસ્ત્રથી (વચનથી) માલુમ પડે છે, ડેકટર ન આવ્યો હોય તે રોગ માલુમ ન પડે, પણ તાવ તે માલુમ પડે કે નહિ? તાવની દવા માલુમ ન પડે, તાવ આવે તે તે માલુમ પડે ને? ડોકટર આવીને કહે તે જ માનવું તે પણ એકાંતે બરાબર નથી. નીરોગીપણું ડોકટરના કહેવાથી ભલે માનીએ પણ રોગીપણું ડોકટરના આવ્યા પહેલાં પણ જાણીએ. પાપથી વિરમવાવાળાનું કલ્યાણ થાય તે શાસ્ત્રકાર કહે તેથી માનીએ. પાપ અને અધર્મ જાણવા માટે ઉપદેશની જરૂર નહિ ને? આત્માને અંગે પણ પાપ છોડવાં, પાપની નિવૃત્તિ કરવી તેથી થતા ફાયદા, પાપ છોડવાથી ઉચ્ચ દશા ખુદ પાપ એ પાપપણે ત્યારે જ જણાય કે સદપુરુષને ઉપદેશ હોય ત્યારે. આંખ કાંટા વવે એટલું નહિ, પણ કાંટાને દેખાડે પણ - આંખ વર્જવાનું અને જોવાનું આંખથી બને છે. આત્મા પિતે પાપને ઓળખી લેતે હોય તે પાપને છોડી દીધું હોય. હીરો જોવા માટે આંખનું સામર્થ્ય છે. પથરો જોવાનું સામર્થ્ય પણ આંખનું છે. પાપની નિવૃત્તિ પાપનાં નુકસાને સાંભળવાથી માલુમ પડે છે. આ પાપપુણ્યનું સ્વરૂપ સાંભળ્યા વિના માલુમ ન પડે. તે પછી આત્માનું કલ્યાણ શી રીતે થાય, તે તે માલુમ પડે જ ક્યાંથી? પાપની નિવૃત્તિરૂપ કલ્યાણ તે સાંભળવાથી માલુમ પડે. એક એક કામ બને, બે ભેગાં ન બને. એક વખત મિથ્યાત્વી લોકે એકઠા થયા. રાત્રે ચેરામાં બેઠા. કેઈએ કહ્યું : “નવી વાત કરે.” ચારને કેટવાળના ખુંખારાને ડર, તેવી રીતે જૈન લોકોથી આ બીજા લે કે હંમેશાં ડરના રહે.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy