SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ આનંદ પ્રવચન દર્શન રાજી થવાપણું રહેતું જ નથી. તું દષ્ટિવાદ ભણે તે જ રાજી થાઉં, તારે તારા આત્માનું કલ્યાણ કરવાની જરૂર છે અને તે જરૂરિયાત દૃષ્ટિવાદ ભણવાથી પૂર્ણ થાય એમ છે, માટે દષ્ટિવાદ ભણુને તેમાં પારંગત થઈ આવશે, ત્યારે જ મારો પુત્ર સાચી વિદ્યા ભણ્યો છે એને મને આનંદ થશે. - વિચાર કરો કે આર્ય રક્ષિતની માતાએ પોતાના પુત્ર ઉપર આ કે મહાન ઉપકાર કર્યો છે. આજની કેટલી માતા પિતાની સંતતિને આવે શુભ માર્ગે વાળવા તૈયાર છે તેને વિચાર કરો. નાટકારની દષ્ટિ કયાં ? આર્ય રક્ષિતજીની માતા પણ જે આજની માફક જ દુનિયાદારીની સ્થિતિમાં ફસેલી હતી તે તેને હાથે આર્યરક્ષિતજીની કેવી દશા થવા પામત તેને વિચાર કરી લે. આજની તમારી સ્થિતિ તે એ છે કે ગમે તે થાય તે પણ તમારા પુત્ર દુનિયાદારીની કક્ષામાંથી બહાર ન જવો જોઈએ. છોકરાને ધર્મને માગે તમે વાળે છે, તેને ઉપાશ્રયે મેકલે છે, તેની પાસે કિયાઓ કરાવે છે એ બધું ખરું, પરંતુ તે માત્ર એક ખેલની માફક ! નાટક્કારે નાટક કરે છે. રાજારાણીના પાઠ ભજવે છે, રાજનું પરોપકારીપણું દર્શાવવા પરોપકારીપણાને અભિનય કરે છે. પરંતુ તેની દષ્ટિ તે માત્ર પૈસા ઉપર જ છે. અન્યત્ર તેની નજર નથી ! પ્રમાણે તમારી સ્થિતિ પણ એ જ છે કે તમારાં બાળકોને તમે ધર્મમાં પ્રેરો છો ખરા, પરંતુ તે તમારા સાંસારિક સર્કલમાં તે રહેવા જ જોઈએ. જે એ સર્કલમાંથી કોઈ બહાર જવાની તૈયારી કરે છે કે ત્યાં તરત તમારે વિરોધ ખડે જ છે ! જેનકુળની મહત્તા કેવી છે તેનું સુંદરમ સુંદર દસ્કૃત આર્ય રક્ષિતજીનું જીવન પૂરું પાડે છે. માતા પુત્રને આત્મકલ્યાણને માર્ગે પ્રેરે છે. પુત્ર પણ માતાને એ આદેશ યથાર્થ રીતિએ ઝીલી લે છે અને દષ્ટિવાદ ભણવાને માટે આચાર્યદેવની પાસે રવાના થાય છે. આર્યરક્ષિતજી ઉપાશ્રયમાં માતા પિતાની સગાઈને ઉપગ કે કરે છે તે પણ અહીં
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy