SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ માતાપિતાની જવાબદારી ૩૧૭* સુભદ્રા કૂવા પાસે ગઈ અને તેણે સર્વ દેવ, યક્ષો આદિની. સાન્નિધ્યતામાં કહ્યું કે, “હે દેવ, યક્ષે ! અને શાસનદેવતાઓ ! જે.. મેં મન, વચન અને કાયાથી શીલવ્રત પાળ્યું હોય તે આ કાર્ય મારે હસ્તે પૂર્ણ થજે !” પ્રતિજ્ઞા કરીને સુભદ્રાએ ચાળણું કાચા. તાંતણુએ બાંધીને કૂવામાં મૂકી કે તરત જ સડસડાટ કરતી ચાળણું. નીચે ઊતરી ગઈ, પાણીથી ભરાઈ બહાર આવી અને તેના પાણીથી ભરેલી અંજલિ સુભદ્રા જ્યાં બારણું પર છાંટે છે કે તુ બારણ. ઊઘડી ગયાં. સુભદ્રાએ ત્રણ બારણું ખોલી નાખ્યાં અને એક બારણું : બીજી સતીઓને તેમને પ્રભાવ દર્શાવવાને માટે બંધ રહેવા દીધું. આજે પણ ચંપાપરીમાં હજી એ ત્રણ દરવાજા ખૂલ્લા છે અને ચોથો. દરવાજો બંધ છે, સુભદ્રાના દિવ્ય જીવનની સાક્ષી પૂરતા ઊભા છે. માતૃગત ઉત્તમ જાતિનું મહત્ત્વ કેટલું છે તે આ કથાનક ઉપરથી સ્પષ્ટ થાય છે. માતાની મહત્તાબાપ સંતતિને અન્ન આપે છે, તેનું પાલનપોષણ કરે છે, તેને તે સંરક્ષક છે, એની કેઈથી ના પાડી શકાવાની જ નથી. પરંતુ.. બાળક ઉપર વધારે પ્રભાવ તે માતાને જ પડે છે. માતા જેવી. ક્રિયા કરે છે, જેવું ધર્માચરણ કરે છે અને જે રીતિએ વર્તન કરે. છે, તેવી જ છાપ બાળક ઉપર પડે છે. માતાના વર્તનનું જ બાળક અનુકરણ કરે છે. માતા કીડી, મંકેડી, માંકડ ઈત્યાદિને મારવા લાગશે. તે બાળક પણ તે જોઈને તેવું જ કરવાને પ્રેરાશે. અને માતા જે. રોગી, અપંગ અને લંગડા-લૂલાને દાન આપનારી હશે તે બાળક પણ તેવું જ વર્તન કરવાને લલચાશે. શ્રાવકકુળની જે ગળથુથી પાવાની છે તે પણ માતાને હાથે જ બાળકને પીવામાં આવે છે. માતા શ્રાવિકાના ધર્મોને સમજનારી અને તે પ્રમાણે વર્તનારી હશે તે તેની છાપ પણ બાળકની ઉપર જરૂર પડવાની જ અને તે બાળક કદી પણ ધર્મહીન થવાને નહિ. પિતા ધર્મને પામેલે નહિ. હોય છતાં માતા જે શ્રાવિકાનાં શુભ લક્ષણેથી યુક્ત હશે તે તે:
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy