SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ આનંદ પ્રવચન દર્શન નીવડે છે, તે જ પ્રમાણે પગલિક વિચારોને પણ સ્પર્શનારો – પછી તે ગમે તે ભાવપૂર્વક એને સ્પર્શતે હોય તે પણ તે એમાં બંધન પામે છે. એટલા જ માટે દેશ, સમાજ, શહેર કે ગામને નામે પૌગલિક પ્રવૃત્તિ આદરના હોય એને જૈનશાસન પા૫સાધુ કહે છે. . લૌકિક અને લેકેત્તર માર્ગ, હવે વિચાર કરે કે છ ગુણસ્થાનકે પ્રવર્તનારે મન અને વિચારોથી રહિત હોતું નથી. તે વિચારોથી યુક્ત છે. આમ છતાં તે પૌગલિક વિચારેનું સેવન કરી શકતું નથી. બીજી બાજુએ મન વિચારથી શૂન્ય રહી જ શકતું નથી તે હવે વિચાર કરો કે મુનિ શું ચિંતવતા હશે? આ જટિલ પ્રશ્નનો જવાબ જૈનશાસન કહે છે કે મુનિ એ લોકોત્તર માર્ગનું ચિંતવન કરનારો હોય છે. હવે લૌકિક અને લોકોત્તર માર્ગને તફાવત ધ્યાનમાં લેવાની જરૂર છે. તમારે અમદાવાદ જવું હોય તે અમદાવાદને માર્ગ તમારે જાણો રહ્યો અને મુંબઈ જવું હોય તે મુંબઈને માર્ગ તમારે જાણ રહ્યો. જે તમે માર્ગ જ ન જાણતા છે તે તમારી દશા એવી થશે કે તમે ઉધના જવાને બદલે કતારગામ જઈ પહોંચશે !! એ જ પ્રમાણે લૌકિક અને લોકેત્તર માર્ગ પણ તમારે જાણવા જ રહ્યા. લૌકિક અને લકત્તર માગ તમારે જાણવો નથી, એટલું પણ જ્ઞાન તમારે મેળવવું નથી અને મોટી મોટી વાત કરવી છે એ કદી બની શકવાનું નથી. “સાધુ શા માટે કોલેજની હોસ્ટેલને વગર પગારને ગૃહપતિ ન થાય, અને સાધ્વી શા માટે સુવાવડખાનાની પરિચારિક ન બને ? એવા પ્રશ્નો કરનારા શઠાનંદની પહેલી ફરજ એ છે કે તેમણે લૌકિક અને લકત્તર માર્ગ એને ભેદ જાણવું જોઈએ. લોકોત્તર માગ શી રીતે ગ્રહણ થાય? વિ અને ઈન્દ્રિય વગેરેની અપેક્ષાએ જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે સઘળી પ્રવૃત્તિઓ એ લૌકિક માર્ગ છે અને એવા લૌકિક માર્ગથી પગલિક વિષય, કષાય, આરંભ, પરિગ્રહ આદિને
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy