SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૮ \ \/\/\/\/\/\ \ /\/\/\/\_/ / - ~ આનંદ પ્રવચન દર્શન તેથી જ તેઓ ખાંડના લાડવાની સાથે જ ઝેર ખવડાવવાને પ્રબંધ જે છે. ૩. દુઃખગર્ભિત વૈરાગ્ય. દુઃખગર્ભિત વૈરાગ્ય યો? મ્યુનિસિપાલિટીને ઉદ્દેશ તે ઝેર ખવડાવવાને લગતે છે, પરંતુ તે ઉદ્દેશ પાર પાડે તે માટે કતરાને લેભાવવા તે બરણી અથવા ખાંડ વાપરે છે, એ જ પ્રમાણે કર્મરાજા પણ સમજે કે જે, હું એકલું ઝેરરૂપી દુઃખ આપીશ તે તેનું પરિણામ તો એ જ આવશે કે જગત દુ:ખગર્ભિત વૈરાગ્યમાં જ ચાલ્યું જશે. અહીં દુખગર્ભિત વિરાગ્યને સાચા અર્થ સમજવાની કાળજી રાખજે. અત્યારે તે આપણી એ સ્થિતિ છે કે આપણે મોટેભાગે દુ:ખગર્ભિત શબ્દનો દુરુપયોગ કરીએ છીએ. આ સંબંધમાં એક બાબત જનતાએ ધ્યાનમાં રાખવા જેવી એ છે કે શાસન પ્રેમી જેનીઓ પણ આ વિષય પર એક મિથ્યાત્વનું વાક્ય બેલે છે. કોઈ માણસ રળતે કમોતે ન હોય અને દીક્ષા લે, તો તરત તમે કહી દે છે કે એ દુઃખગર્ભિત વૈરાગ્ય છે. કેઈને વ્યાપારાદિ વ્યવસાયમાં હાનિ થાય એને તે દીક્ષા લે, તે પણ તમે કહી નાંખે છે કે એ પણ દુઃખગર્ભિત વૈરાગ્ય જ છે! માથું કાપીને પાઘડી બાંધી. એ જ પ્રમાણે પુત્ર અથવા પુત્રીને માતાપિતા ઠપકો આપે અને તેઓ વૈરાગ્ય ધારણ કરે તે પણ તમે કહી દો છે કે એ પણ દુખગર્ભિત વૈરાગ્ય છે. આ રીતનાં તમે જે જે વાક્યો બોલે છે તે ખરેખર કાંઈ પણ સંશય વિના મિથ્યાત્વથી ભરેલાં જ હોય છે, આવા સઘળા પ્રકારોને તમે દુઃખગર્ભિત વૈરાગ્યનું નામ આપીને તમે વૈરાગ્યની એટલે સાધુપણાની કિંમત ઉડાવી દે છે. તમે સાધુપણાની કિંમત માન્ય રાખે છે, તેની મહત્તાને સ્વીકારો છો, પરંતુ એ વૈરાગ્યને દુઃખગર્ભિત વૈરાગ્યનું નામ આપીને તે તમે માથું કાપી
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy