SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ . આનંદ પ્રવચન દર્શન પ્રકારનાં છે : ઈષ્ટફળ અને અનિષ્ટફળ. જો દરેક કિયા માત્રનું ફળ ઈષ્ટ જ હેત તે તે પછી કાંઈ જેવાનું જ ના રહેત ! કારણ કે આત્મા અનાદિથી ક્રિયાશીલ છે અને ક્રિયા માત્રનાં ફળ ઈષ્ટ હોય તે તે પછી આપણે આત્માને ધન્યવાદ આપી આપણે આપણાં અહોભાગ્ય જ માનવાં પડે ! પરંતુ ખરી વસ્તુસ્થિતિ એ પ્રમાણેની નથી. ફળ બે પ્રકારનાં છેઃ ઈષ્ટફળ અને અનિષ્ટફળ અથવા તે શુભ ફળ અને અશુભ ફળ. દરેક કિયામાત્રનાં આપણે બે ફળ કબુલ કરી દીધાં. આપણે એ પણ વાત માની લીધી છે કે યિા પણ અનાદિની છે. ઠીક હવે આગળ વધીએ. ૨. પીલિક સુખ. માગ્યાં તે મેતી મળે. ક્રિયા અનાદિકાળથી થતી આવી છે એ માન્ય રાખીએ અને તે બે પ્રકારનાં ફળ આપે છે એ વાત પણ સ્વીકારીએ, પછી એ પ્રશ્ન સહજ ઉદ્દભવે છે કે અનાદિકાળથી અવ્યાહતપણે જે કિયા ચાલી આવી છે તે ક્રિયા શુભ છે કે અશુભ છે અર્થાત્ એ ફળે ઈષ્ટ છે કે અનિષ્ટ છે ? અનાદિથી કિયા થાય છે, એ કિયા ફળ આપે છે, પરંતુ એ ફળ શુભ છે કે અશુભ છે તે ખાસ વિચારી જોવાની જરૂર છે. કહેવત છે કે માગ્યાં તે મેતી મળે, પણ ભીખને માથે, તેમ એ મેતી પણ ભીખ દ્વારા મંગાયેલા હોવાથી તે મેતી ત્યજવા ગ્ય છે. તે જ પ્રમાણે અહીં પણ સમજવાનું છે. અનાદિકાળથી આ માર્ગ ભૂલ્યા રખડેલ આત્મારામભાઈ જે ભાંગફેડ કર્યા કરે છે અર્થાત જે પ્રવૃત્તિ કર્યું જ જાય છે અને તેથી જે કાંઈ ફળ સુખમાં પરિણમે એવુ મળતું હોય, તે પણ યાદ રાખવાનું છે કે એ સુખ કાયાનું છે-શરીરનું છે, પુદ્દગલનું છે, પરંતુ આત્માનું પિતાનું એ સુખ તે છે જ નહિ ! આત્મા અને પુદ્ગલેને સંયોગ. આત્મા અનાદિકાળથી જે પ્રવૃત્તિ કર્યા કરે છે, તે દ્વારા તે જે ફળ મેળવે છે તે બઘાં ફળેથી આત્માને એવું સુખ નથી મળતું
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy