SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૯ જ્ઞાન અને ક્રિયા આ ફલાણે હતું અને મારે તેની સાથે વૈર હતું. જેને દેખી કોધ ધમધમે, નેહ થયે હોય તે ઘટવા માંડે છે તેથી સમજવું કે તે પૂર્વ ભવને વૈરાનુસંબંધ છે, જેને દેખી નેહ વધે છે, અને કે ઘટે છે તે તે પહેલા ભવને મારે મિત્ર છે તેમ સમજવું. તેવી રીતે પહેલા ભવમાં જ્ઞાનદર્શનચારિત્રનું આરાધન કર્યું હોય તેના પ્રભાવે આ ભવમાં જ્ઞાનાદિક તરફ આરાધના કરવાનું મન થાય છે. આયુષ્ય બંધ જવ મહાઆરંભ કરે, મહાપારિગ્રહ રાખે, પંચેન્દ્રિય પ્રાણીને વધ કરે (જીવહિંસા) તથા માંસને આહાર કરે તે નરકમાં જાય છે.. માયા કરે, ખોટું બોલે, ખોટાં ત્રાજવાં રાખે, ખોટું તેલી દે તે એવાં કૃત્યથી તિર્યંચગતિમાં જીવ જાય છે. સ્વભાવથી વિનયવાન હય, દયાવાળે હેય, અદેખાઈ વગરને હોય, તે જીવ મનુષ્યનું આયુ બાંધે છે. અકામનિર્જરા, અજ્ઞાનથી કષ્ટ કરવું, (તપ આદિ) સરાગસંયમ, ને સંયમસંયમથી જીવ દેવગતિમાં જાય છે.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy