SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ પાંચ પ્રકારના ભાવ જિંદગી વહેતી નદીના પાણી જેવી છે. જિંદગી વહેતી નદીના પાણુ જેવી છે. એક નદી ઉપર એક કૂતર બેઠે હતે. ત્યાં ગાય પાણી પીવા આવી એટલે કૂતરો ભસવા લાગે. આથી કોઈ જનારે કહ્યું : “આ શી સ્થિતિ ? ગંજીને કૂતરે ગાયને ખડ ખાવા ન દે ત્યાં તે તેના માલિકનું લુણ ખાધું તેથી તેનો હક્ક સાચવે છે, પણ આ વહેતા પાણીને પીવા દેવામાં તેને વાંધો છે ? ગાયને પાણી પીવા ન દે તેથી પાણી વધવાનું નથી કે પીવા દેવાથી ઘટવાનું નથી પણ તે ખળખળ કરતું દરિયાતરફ વહી જ રહ્યું છે !” આવી જ રીતે આપણા આયુષ્યની ઘટના. પણ વહેતા પાણીની સાથે કરવી કેમ કે આપણું આયુષ્ય પણ વહેતા પાણીની માફક વહી રહ્યું છેઃ ચાહે તો ઘર્મમાં જેડે અગર ન જે. તે પણ એ તે વહેવાનું છેઃ ક્ષણે ક્ષણે જિંદગી ઘટવાની છે. ધર્મ કરે કે તેથી જિંદગી વધવા-ઘટવાની નથી. જીવ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મેક્ષાદિ તની માન્યતામાં જુદા જુદા મતે છે, એમાં મતભેદ છે પણ મતને અંગે (મત છે. એમ માનવામાં) જગભરમાં બે મત નથી. મરણ નહીં માનનારો એ કઈ નારિતક નથી. જિંદગી ફના થવાની છે એ તો સૌ (બધા) એક સરખી રીતે કબુલે છે. જેમ ઘાટનું પાણુ સદુપયોગમાં લે. અગર ન લે તે પણ ખારા પાણીમાં ભળીને ખારું થવાનું જ. તેમ જિંદગી સાચવીએ તે પણ ફના થવાની છે. આ વાત જાણવા છતાં જીવન પ્રત્યે જેટલે પ્યાર થાય છે તેટલે ધર્મ પ્રત્યે થતો નથી, કારણ કે હજી આ જીવ પરમત્તે ના-બીજે પગથિયે આવ્યો નથી. શરીર, કુટુંબ, રિદ્ધિ વગેરે જીવને છોડે કે- જીવ એ તમામને છેડે?" વસ્તુતઃ છૂટવાનું છે એમાં ફરક નથી. આયુષ્ય કમેકમે ક્ષય પામે છે. મરવું કેઈને ગમતું નથી. જીવ માત્ર જીવવાની આશા રાખે છે, પણ એમ આશા રાખવાથી જીવન મળી જતું નથી. ધક્કો ખાઈને નીકળવા કરતાં રાજીનામું આપવું એ શ્રેષ્ઠ છે એક શેઠને વધારે નેકર રાખવા પાલવતા નથી. આ પરિસ્થિતિમાં
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy