SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ - આનંદ પ્રવચન દર્શન ૪ V \/\/ / \ V / \/\* ૧/૧ નહિ. તમે ઉપદેશ આપે છે. માટે અમે તમને અન્નવસ્ત્ર આપીએ છીએ અથવા તમે અન્નવસ્ત્ર આપે છે તેથી અમે તમને ધર્મોપદેશ આપીએ છીએ એમ કહેનારને જૈનશાસનમાં ઊભા રહેવાને જરાએ હક નથી. જ્ઞાની આત્માને સાધુની જરૂર છે કે ? તમેને મેં શિક્ષકનું ઉદાહરણ આપ્યું છે પણ તે સર્વાગે લગાડવાનું નથી જ. માસ્તરને શા માટે રાખે છે? બાળકના દુર્ગુણ. દૂર કરવા અને તેનું દુન્યવી અજ્ઞાન ટાળવા. આ દુર્ગુણ અને અજ્ઞાન ગયાં એટલે પછી તે બાળકને જ્ઞાની અને સદગુણીમાં મનાવવાને યત્ન થાય છે. તે જ પ્રમાણે અહીં સાધુઓથી ધર્મોપદેશ સાંભળી આત્મા કાંઈક જ્ઞાનવતે થયે એટલે આત્માને મેટા તરીકે મનાવવાને અહીં આદેશ નથી. આત્મામાં ધર્મની લગની લાગી તે પછી કર્તવ્ય એ છે કે માત્ર મેક્ષની ઈચ્છાએ ધર્મની સાધના કરવી. સાટા બદલા વગર કે જગતના કોઈ પદાર્થની આશા વગર જેઓ ધર્મોપદેશ આપે છે તેઓ જ સુધાનીથી એટલે બદલા વગર ફેગટ જીવનારા કહેવાય છે. એ જ કારણથી ગીતાર્થની એટલે સૂત્ર અને તેના અર્થના સંપૂર્ણ જ્ઞાતાની સાથે દાન કે ભકિતને સંબંધ રાખવામાં આવતું નથી. | નમોહ્યો સાદૃ આ વાકયથી તમે સઘળા સાધુઓને નમસ્કાર કરે છે. પછી એ સાધુઓ ભલે ભણેલા હોય કે અભણ હેય, તપસ્વી હોય કે આહાર લેનારા હેય, સ્થવિર કલપી એટલે શાસ્ત્રમાં સ્થવિર માટે કહેલા આચાર પ્રમાણે ચાલનાર હોય કે જિનક૯પી એટલે શ્રી જીનેશ્વર ભગવાનના જેવું આચરણ કરવાવાળા. હેય, એ સઘળા ભેદ નમસ્કાર સાથે સંબંધ ધરાવતા નથી. ત્યાં તે સાધુ માત્રને નમસ્કાર છે. તે જ પ્રમાણે દાન વગેરે સાથે પણ તેને સંબંધ નથી. માત્ર તેઓ મેક્ષને સાધે છે, તે પૂરતું જ નમસ્કાર સંબંધી તેમની સાથે સંબંધ છે. અને તેથી જ તેમની (સાધુઓની સેવા કરવી, તેમને દાન આપવું એને શાસ્પ્રશાસ્ત્ર સિદ્ધ વસ્તુ માની છે. આમ ગુરૂને પણ માનીએ છીએ તે આ રીતે ધર્મને અંગે ! જે.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy