SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિતજીની પ્રતિભા ( ૩૪૫ ) એક વાર અમે સાથે અમદાવાદમાં ગાંધીજીને મળવા ગયા, ગાંધીજીના કરતાં પંડિતજીની ઉમર મટી હતી. ગાંધીજીએ તેમને પૂછયું કે “કેમ પંડિતજી તબીયત કેમ રહે છે?” પંડિતજીએ કહ્યું “તમે અને હું સાથે દેડીએ એટલે તબીયતની ખબર પડી રહેશે.” ટુંકામાં મોટી ઉમરે પણ પંડિતને શરીરમાં સ્ફતિ સારી લાગતી હતી. રાજકેટમાં શ્રી કાનજી સ્વામીના સત્સંગમાં ઘણું માણસો જતા હતા. તે આત્માના સ્વરૂપનું વર્ણન આપે ત્યારે વિદ્વાને પણ મુગ્ધ થતા હતા. પંડિતજી અને હું પણ કેઈ કેઇ વાર શ્રી કાનજી સ્વામીના વ્યાખ્યાન સાંભળવા જતા હતા, કાનજી સ્વામી કહેતા કે આત્મા અખંડ પરથી દે, જ્ઞાનઘન અને આનંદઘન છે. તેને અસંગભાવ કહે છે અને વૈરાગ્ય વાળાને તે સ્વરૂપ સમજવું સહેલું પડે છે. પંડિતજીમાં પ્રેમને ભાગ વધારે હતું તેથી તે કહેતા કે આત્માને સર્વાત્મભાવ પણ જાણવું જોઈએ, જે આત્મા અસંગ છે, તે સર્વમાં છે. ઈ. સ. ૧૯૪૭માં અમદાવાદમાં સર્વ ધર્મ પરીષદ ભરાણી હતી અને તે વખતે અમને પંડિતજીને મેળાપ થયે હતે. અમારે રહેવાનું પણ એક જ જગ્યાએ બન્યું હતું. ત્યાં એકવાર પંડિતજીએ મને કહ્યું કે “પ્રો. આઈ સ્ટાઈનને સાપેક્ષવાદ સમજા” મેં કહ્યું કે તે સિદ્ધાન્ત સામાન્ય માણસને સમજ અઘરે પડે છે, કારણ કે તેમાં કઈ ચીજને અથવા વસ્તુને વિચાર આવતું નથી પણ આખી અવસ્થાને વિચાર આવે છે, તેને કહે છે,
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy