SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) પંડિત લાલન દશાને માટે અસહ્ય હતું. આ કારણે પંડિતજીના વિચારીએ જૈન સમાજમાં ક્ષોભ ઉભું કરવા માંડયો. એ વખતે એક માણેકજી નામના પારસી ગૃહસ્થ પંડિત લાલનના પરિચયના પરિણામે જૈન ધર્મ અંગીકાર કર્યો. પારસી ન થઈ શકે જ કેમ? તેને જૈન તરીકે સ્વીકારી જ કેમ શકાય ? માણેકજી શત્રુંજય આવ્યા, આદીશ્વર ભગવાનની તેમણે પૂજા કરી. આ બધું સાંભળીને તેમના વિશે અને તેમને પંડિત લાલનને ટેકે છે એમ સમજીને પંડિત લાલન ઉપર જેને સમાજ ખુબ ખળભળવા લાગ્યો. જેનોમાં પાંચ પ્રતિકમણની પરંપરાગત માન્યતા છે. આ પાંચ પ્રતિક્રમણ તે દિવસનું રાત્રીનું, પાક્ષિક, ચૌમાસિક અને સાંવત્સરિક આ અનુક્રમને લંબાવીને પંડિત લાલને એમ પ્રતિપાદન કર્યું કે આ ઉપરાંત એક આ ભવનું અને બીજું ભભવનું એમ બે પ્રકારના પ્રતિક્રમણે ઉમેરાવા જોઈએ. જેના સમાજના આગેવાન અને સાધુઓને લાગ્યું કે આ તે કેવળ મિથ્યાત્વ, નાતિકતા છે. મંદિરમાં નર્કનાં ચિત્રો જ્યાં ત્યાં આલેખવામાં આવતા હતા. પંડિત લાલને સૂચવ્યું કે આ મુજબ સ્વર્ગના ચિત્ર પણ આલેખવા જોઈએ કે જેથી સત્કર્મોનાં શુભ ફળને પણ લોકોને ખ્યાલ આવે અને પરિણામે શુભ કર્મ કરવાને લેકે પ્રેરાય, આ તે વળી કેવી વાત? આજ સુધી કેઈને ન સૂઝયું અને પંડિત લાલન એવા તે કેણ કે આવી વાતે કરે? એવામાં પંડિતજીએ જાણીતા દિગંબર આચાર્ય શ્રી મેગીન્દ્રદેવના રચેલા મૂળ સંરકત “સ્વાનુભવ દર્પણ” નામના ગ્રંથને અનુવાદ
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy